એક વર્ષથી વધુ સમય વીતી જવા છતાં અને રશિયા સામે ખરાબ રીતે પછડાટ ખાઈ રહેલા યુક્રેને ભારતીયોની લાગણી દુભાય તેવી શરમજનક હરકત કરી છે.
યુદ્ધ વચ્ચે આવી હરકતથી ભારતીયોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો, જેમાં હિન્દુ દેવી માતા કાળીને વાંધાજનક રીતે દર્શાવાયા હતા.
તેના પછી ભારતીયોનો યુક્રેનની આ નાપાક હરકત સામે ગુસ્સો ફૂટ્યો હતો. જોકે ભારતીય યૂઝર્સ દ્વારા રોષ વ્યક્ત કરાયા બાદ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ ડિલીટ કર્યું હતું. આ ફોટો 30 એપ્રિલે પોસ્ટ કરાયો હતો. જ્યારે ડિલીટ કરાયા બાદ પણ યુક્રેન દ્વારા શેર કરાયેલી આ તસવીર સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલય દ્વારા પોસ્ટ કરાયેલી ટ્વિટમાં ધૂમાડાના ગોટે ગોટાની ઉપર કથિત રીતે દેવી કાળી માની તસવીર બતાવાઈ હતી. ટ્વિટર હેન્ડલ @DefenceUએ વર્ક ઓફ આર્ટ કેપ્શન સાથે આ તસવીર પોસ્ટ કરી હતી.
Advertisement