દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ એ સંયુક્ત રીતે રેલવેના કુર્થા-બિજલપુરા વિભાગની ઇ-યોજનાનું અનાવરણ કર્યું. બંને પ્રધાનમંત્રીઓએ સંયુક્ત રીતે બથનાહાથી નેપાળ કસ્ટમ યાર્ડ સુધીની ભારતીય રેલવેની કાર્ગો ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત બંને દેશોના વડાપ્રધાનોએ ભારત અને નેપાળ વચ્ચે મોતિહારી-અમલેખગંજ ઓઈલ પાઈપલાઈનના ફેઝ-2નો શિલાન્યાસ પણ કર્યો હતો.
Advertisement
Advertisement
ત્યારબાદ પીએમ મોદીએ નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજી હતી, એજન્ડામાં અર્થતંત્ર, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ ક્ષેત્ર અને બંને દેશોના વચ્ચે લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. ત્યાર બાદ બંને નેતાઓની હાજરીમાં બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બંને નેતાઓ વચ્ચેની બેઠક બાદ સંયુક્ત નિવેદન જારી કરતા પીએમ મોદીએ કહ્યું કે મને યાદ છે કે 9 વર્ષ પહેલા 2014માં કાર્યભાર સંભાળ્યાના ત્રણ મહિનાની અંદર મેં મારી નેપાળની પ્રથમ મુલાકાત લીધી હતી. તે સમયે મેં ભારત-નેપાળ સંબંધો માટે એક “હિટ” ફોર્મ્યુલા આપી હતી – હાઈવે, આઈ-વે અને ટ્રાન્સ-વે.
વધુમાં, પીએમ મોદીએ કહ્યું કે આજે મેં અને વડાપ્રધાન પ્રચંડે અમારી ભાગીદારીને ભવિષ્યમાં સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આજે ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ સંપન્ન થયો છે. આજે ભારત અને નેપાળ વચ્ચે ‘લોંગ ટર્મ પાવર ટ્રેડ એગ્રીમેન્ટ’ થયો છે. તેમાં અમે આગામી 10 વર્ષમાં નેપાળથી 10 હજાર મેગાવોટ વીજળી આયાત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
આ પ્રસંગે, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ કહ્યું કે તેમણે વડા પ્રધાન મોદીને નેપાળની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે, મને આશા છે કે વડા પ્રધાન મોદી ટૂંક સમયમાં નેપાળની મુલાકાત લેશે.
Advertisement