59 વર્ષના પ્રભુદયાલ વાલ્મિકીએ યુપી બોર્ડમાંથી 12મીની પરીક્ષા લગભગ 54 ટકા માર્ક્સ સાથે પાસ કરી છે.
Advertisement
Advertisement
તેઓ સમાજવાદી પાર્ટીની સરકારમાં બે વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. તેમણે પરીક્ષામાં 500માંથી 271 માર્ક્સ મેળવ્યા છે.
પ્રભુદયાલ વર્ષ 2002 અને 2007માં મેરઠની હસ્તિનાપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
તે ઉપરાંત, 2003 થી 2007 સુધી તેઓ લઘુ ઉદ્યોગ, કાપડ અને સિલ્ક વિભાગના પ્રભારી મંત્રી હતા.
પ્રભુદયાલ વાલ્મિકીએ મીડિયાને કહ્યું કે, “જુઓ, ભણવાની કોઈ ઉંમર હોતી નથી. મારા નજીકના મિત્રોએ મને કહ્યું હતું કે ધારાસભ્ય અને મંત્રી હોવાના કારણે તમારી પાસે સમય ના હોવાના કારણે તમે ભણી શક્યા નહતા પરંતુ હવે તમારે આગળ અભ્યાસ કરવો જોઈએ, તેથી મને પણ લાગ્યું કે, મારે આગળ અભ્યાસ ચાલું રાખવો જોઈએ.
“મેં વર્ષ 2021 માં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ કોરોનાને કારણે પરીક્ષા આપી શક્યો ન હતો અને બોર્ડ દ્વારા આગામી વર્ગમાં પ્રમોટ કરવામાં આવ્યો હતો.”
પ્રભુદયાલ વાલ્મીકિના પરિવારમાં તેમની પત્ની કમલા અને બે પુત્રો રાજન ગેહલોત અને રાહુલ ગેહલોત છે.
રાજન ગેહલોત લગભગ 32 વર્ષનો છે અને દિલ્હીની એક કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે જ્યારે નાનો દીકરો રાહુલ મેરઠના મવાનામાં પેથોલોજી લેબનો ઓપરેટર છે.
પ્રભુદયાલ વાલ્મીકિ હવે તેમની પત્ની કમલાને ભણાવવાની વાત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ અપાવશે.
કમલા પાંચમા ધોરણ સુધી ભણેલી છે. પ્રભુ દયાળ જણાવે છે કે બીમારીના કારણે તેઓ ભણી શક્યા નહતા.
Advertisement