28 જૂને એક મહત્ત્વનો નિર્ણય લેતાં, નાણાં મંત્રાલયે ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં ખર્ચ કરવા પર TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ)ના ઊંચા દરને લાગુ કરવાના નિર્ણયનો અમલ હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. સરકારે 1 જુલાઈથી 5 ટકા TCSને વધારીને 20 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. હવે 28 જૂને સરકારની જાહેરાત બાદ આ નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી લાગુ કરવામાં આવશે.
Advertisement
Advertisement
સરકારના તાજેતરના આ નિર્ણય અનુસાર, 7 લાખ રૂપિયા સુધીના આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજ પર માત્ર 5% TCS કાપવામાં આવશે. હાલમાં, ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં થયેલા ખર્ચને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS)હેઠળ આવરી લેવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, તેના પર કોઈ ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TCS)થશે નહીં. નાણાં મંત્રાલય દ્વારા બુધવારે જણાવાયું હતું કે, સરકારે ટુર પેકેજ સહિત વિદેશમાં નાણાં મોકલવા માટે ઊંચા દરે TCS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કાપવાના નિર્ણયને ત્રણ મહિના સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. તેથી આગામી 30 સપ્ટેમ્બર સુધી, TCS ફી વસૂલવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે નહીં.
નાણાં મંત્રાલયે કહ્યું કે વિવિધ પક્ષો અને માધ્યમો દ્વારા મળેલા મંતવ્યો અને સૂચનો બાદ નિર્ણયમાં કેટલાંક ફેરફારો કરવા અંગે સંમતિ સધાઈ છે. સૌપ્રથમ, એવો નિર્ણય લેવાયો છે કે LRS હેઠળ તમામ હેતુઓ માટે અને વિદેશી પ્રવાસના ટુર પેકેજો માટે પ્રતિ વ્યક્તિ વાર્ષિક સાત લાખ રૂપિયા સુધીની રકમના TCSના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ચુકવણીની પદ્ધતિ ગમે તે હોય, દરમાં કોઈ ફેરફાર કરાશે નહીં.
મંત્રાલયે જણાવ્યું હતું કે, સુધારેલા TCS દરોના અમલીકરણ અને LRSમાં ક્રેડિટ કાર્ડની ચૂકવણીનો સમાવેશ કરવા માટે વધુ સમય આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ પ્રવાસ પેકેજ ખરીદવા માટે પ્રતિ વ્યક્તિ 7 લાખ રૂપિયાના ખર્ચ પર પાંચ ટકાના દરે TCS વસૂલવામાં આવશે. જો ખર્ચ આ મર્યાદા કરતાં વધી જાય તો જ 20 ટકાનો દર લાગુ થશે.
Advertisement