લગભગ ત્રણ વર્ષ પહેલાં, બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના પરિવારથી લઈને ચાહકો પર દુ:ખનો એવો પહાડ તૂટી પડ્યો હતો, જેની ખોટ આજદિન સુધી ભરપાઈ થઈ નથી. સુશાંતની અચાનક વિદાય તેના ચાહકો માટે આઘાતથી ઓછી ન હતી. જોકે, કથિતરૂપે તેમનું મૃત્યુ આત્મહત્યાને લીધે થયું હતું. પરંતુ, તેમના ચાહકોને હંમેશા એવું જ લાગતું હતું કે સુશાંત સિંહની હત્યા કરવામાં આવી હતી. જો કે આ કેસમાં હજુ સુધી એવું કંઈ સાબિત થઈ શકયું નથી. પરંતુ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુએ નવા સવાલો ઉભા કર્યા છે.
Advertisement
Advertisement
આ મામલો એટલો ગરમાયો હતો કે તેને યોગ્ય તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવ્યો. જોકે, હજુ સુધી આ મામલે કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. હવે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ઘણાં નવા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મોતના મામલામાં પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. તમામ પુરાવા એકત્ર થતાં જ અમે મામલાને ફરી આગળ વધારીશું.
દેવેન્દ્ર ફડણવીસે કર્યો નવો ખુલાસો
ઈન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘અગાઉ ઉપલબ્ધ માહિતી માત્ર અફવાઓ પર આધારિત હતી, પછી કેટલાંક લોકોએ દાવો કર્યો કે તેમની પાસે આ મામલે પૂરતા પુરાવા છે. ત્યારબાદ આ લોકોનો સંપર્ક કરીને તેમને પુરાવા પોલીસને સોંપવા માટે કહેવામાં આવ્યું હતું. ફડણવીસે એમ પણ કહ્યું કે સત્તાવાળાઓ આપેલા પુરાવાઓની વિશ્વસનીયતા ચકાસવાની પ્રક્રિયામાં છે અને હજુ તપાસ ચાલુ છે. કેસના પરિણામ પર ટિપ્પણી કરવી તેમના માટે ખૂબ જ વહેલું ગણાશે.
રિયા ચક્રવર્તી પર લાગ્યા આરોપો
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સમયે તે રિયા ચક્રવર્તી સાથે રિલેશનશિપમાં હતો અને બાદમાં એક્ટ્રેસ પર પણ આરોપ લાગ્યા હતા. રિયા ચક્રવર્તીને ડ્રગ્સના આરોપમાં લગભગ એક મહિનો જેલમાં રહેવું પડ્યું હતું. સુશાંતની બહેનોએ પણ ઘણાં દિવસો સુધી તેમના ભાઈના મૃત્યુના કેસમાં કાયદા પાસેથી ન્યાયની ભલામણ કરી હતી.
Advertisement