જંતર-મંતર પર ધરણાં કરી રહેલા કુસ્તીબાજોને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કુસ્તીબાજોના મામલાને પોતાના તરફથી બંધ કરી દીધો છે અને હાઈકોર્ટ અથવા નીચલી કોર્ટમાં જવાની સૂચના આપી છે.
સુપ્રીમ કોર્ટે મહિલા કુસ્તીબાજોની અરજી પર સુનાવણી કર્યા બાદ કેસ બંધ કરી દીધો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચે કહ્યું કે અમે આ મામલાને અહીં બંધ કરી રહ્યા છીએ. જો કોઈ વધુ ફરિયાદ હોય તો તે મેજિસ્ટ્રેટ અથવા હાઈકોર્ટ સમક્ષ રાખી શકાય છે.
મુખ્ય ન્યાયાધીશ સ્પષ્ટ કહ્યું છે કે જેના માટે અરજી દાખલ કરવામાં આવી તેમા FIR થઈ ગઈ હતી. હવે ન્યાય માટે મેજિસ્ટ્રેટ અથવા હાઈકોર્ટનો વિકલ્પ ખૂલ્લો છે.
સુનાવણી બાદ CJIએ કહ્યું કે, અમારી પાસે 3 અરજદારો આવ્યા હતા.
તેણે કહ્યું કે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અમે પોલીસને નોટિસ પાઠવી હતી. પોલીસે અમને કહ્યું કે તેઓ FIR દાખલ કરશે. કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. CJIએ કહ્યું કે સગીર ફરિયાદીનું નિવેદન 29 એપ્રિલે નોંધવામાં આવ્યું હતું. આ નિવેદન 4 મહિલા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય નિવેદનો પણ 3જી મેના રોજ લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મહિલા કુસ્તીબાજોના વકીલે ગઈકાલે આ મુદ્દો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ સમક્ષ મૂક્યો હતો.
Advertisement