સિક્કિમમાં વાદળ ફાટ્યા બાદ તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે ભારે વિનાશ થયો હતો. પૂરના કારણે અત્યાર સુધીમાં સેનાના સાત જવાનો સહિત 55 લોકોના મોત થયા છે. 142 લોકો હજુ પણ ગુમ છે, બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને એરફોર્સના હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં જોડાયેલા છે. કેન્દ્ર સરકારે આપત્તિ રાહત તરીકે 45 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
પૂરને કારણે 22 હજારથી વધુ લોકોને અસર
વિનાશક પૂરમાં સેનાના 22 જવાનો સહિત 142 લોકો હજુ પણ લાપતા છે અને 26 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે અને NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. પૂરના કારણે નેશનલ હાઈવે 10 પણ ધોવાઈ ગયો છે અને તિસ્તા નદીનું જળસ્તર 15 થી 20 ફૂટ વધી ગયું છે. સિક્કિમમાં પૂરની 22 હજારથી વધુ લોકોને અસર થઈ છે અને પ્રવાસીઓ સહિત 1 હજારથી વધુ લોકો આ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વિસ્થાપિત થયા છે.
રાજ્યનો સૌથી મોટો ડેમ કેવી રીતે ધોવાઈ ગયો?
સિક્કિમના સૌથી મોટા ડેમ તિસ્તા 3 ના વિનાશના દ્રશ્યો પર નજર નાખીએ, તો જણાશે કે આ દુર્ઘટના માટે ફ્લડ મોનિટરિંગ સિસ્ટમની નિષ્ફળતા પણ જવાબદાર છે. ભારે પૂરના એક વીડિયોમાં 60 ફૂટ ઊંચો તિસ્તા 3 ડેમ કેવી રીતે ધોવાઈ ગયો તે બતાવાયું છે. આ ડેમની વીજ ઉત્પાદન ક્ષમતા 1200 મેગાવોટ હતી અને તે રાજ્યનો સૌથી મોટો ડેમ હતો. આ ડેમનું નિર્માણ 2008માં શરૂ થયું હતું અને 2017માં પૂર્ણ થયું હતું. આ ડેમ પાછળ પર 14000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારે પૂર્વ સીએમ પવન ચામલિંગની સરકાર પર આરોપ લગાવ્યો
સિક્કિમમાં ચુંગથાંગ ડેમ તૂટી પડ્યો તેને માટે અગાઉની રાજ્ય સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. સીએમ પ્રેમ સિંહ તમંગે કહ્યું કે ચુંગથાંગ ડેમની નિષ્ફળતા અગાઉની રાજ્ય સરકાર દ્વારા નબળા બાંધકામને કારણે થઈ. સિક્કિમના સીએમએ આ આપત્તિ માટે પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારના નબળા બાંધકામને જવાબદાર ઠેરવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પવન ચામલિંગ 24 વર્ષ કરતાં વધુ સમયથી સિક્કિમમાં સત્તા પર હતા.
Advertisement