મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં શિવરાજ સરકાર આદિવાસીઓ પર પેશાબ કરવાના મામલા બદલ ઘેરાઈ ગઈ છે. વિપક્ષના દબાણ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ હતી. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણના આદેશ પર એનએસએ કાર્યવાહી અને અન્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રશાસને તેના ઘર પર બુલડોઝર કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ગુરૂવારે પીડિત દશમત રાવત ભોપાલના મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા હતા. સીએમ શિવરાજ ચૌહાણે દશમતના પગ ધોયા હતા અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. સીએમ શિવરાજે કહ્યું કે મારું મન દુઃખી છે. મારા માટે જનતા જ ભગવાન છે.
Advertisement
Advertisement
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીડિત સાથે વાતચીત કરી હતી. CMએ પૂછ્યું કે બાળકો ભણે છે? શિષ્યવૃત્તિ મળે છે? કોઈ સમસ્યા હોય તો મને જણાવો. બેટી લાડલી લક્ષ્મી છે. શું પત્નીને લાડલી બહેનાનો લાભ મળી રહ્યો છે? આવાસ યોજનાનો લાભ મળી રહ્યો છે ? સીએમએ કહ્યું કે દીકરીને ભણાવવાની છે. છોકરીઓ આગળ વધી રહી છે. દશમતે સીએમને કહ્યું કે તે શ્રમિક છે. મુખ્યમંત્રીએ પીડિતને કહ્યું, ‘મને ખૂબ જ દુઃખ થયું. હું દિલગીર છું. મારા માટે જનતા ભગવાન સમાન છે. દશમતને સુદામા કહીને મુખ્યમંત્રીએ કહ્યું કે હવે તમે મારા મિત્ર છો.’
શું છે મામલો ?
તમને જણાવી દઈએ કે ભાજપ નેતા પ્રવેશ શુક્લાનો દશમત રાવત પર પેશાબ કરવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે. આ મામલાની તપાસ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ તપાસ સમિતિઓની રચના કરી છે. પ્રવેશ શુક્લાની મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતાં જ મુખ્યમંત્રીના આદેશ પર NSAની કાર્યવાહી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રે જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેને રીવા જેલમાં રાખવામાં આવશે. પ્રશાસને તેના ઘરનો ગેરકાયદેસર હિસ્સો પણ તોડી પાડ્યો છે.
Advertisement