હરિયાણાના નૂંહમાં હિંસક તોફાનો પછી વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે ગુરુગ્રામમાં કલમ 144 લાગુ કરી હતી, જે ગઈકાલે પાછી ખેંચી લેવામાં આવી હતી. જિલ્લા પ્રશાસને કહ્યું કે પરિસ્થિતિ સામાન્ય થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા સોમવારે હરિયાણાના નૂહમાં ધાર્મિક યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઘણાં લોકોના મોત થયા હતા. પરંતુ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.
Advertisement
Advertisement
નૂહ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા બાદ 31 જુલાઈએ ગુરુગ્રામમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. ગુરુગ્રામ જિલ્લામાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ સાવચેતીનું પગલું લેવામાં આવ્યું હતું.
જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને વિવિધ એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, એવું માનવામાં આવે છે કે ગુરુગ્રામ જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને તેથી CrPCની કલમ 144 જાળવી રાખવાની કોઈ જરૂર નથી. પરિસ્થિતિને સંતોષકારક રીતે જોતાં, હું એક મેજિસ્ટ્રેટ તરીકે કલમ 144ને તાત્કાલિક અસરથી રદ કરું છું.
જો કે, જિલ્લા મેજિસ્ટ્રેટે લોકોને તકેદારી રાખવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત જ અધિકારીઓનો સંપર્ક કરવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં વધુમાં જણાવાયું છે કે વહીવટીતંત્ર નાગરિકોની સલામતી અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને શાંતિમાં ખલેલ પહોંચાડવાના અને સાંપ્રદાયિક સૌહાર્દને જોખમમાં નાખવાના કોઈપણ પ્રયાસ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement