મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકારને નાકાબંધીનો સામનો કરવા માટેના તમામ વિકલ્પો પર વિચાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ખંડપીઠે કહ્યું કે નાકાબંધીનો સામનો કેવી રીતે કરી શકાય તે હાલની કાયદા અમલીકરણ એજન્સીઓ માટે વિચારવાનો વિષય છે.
Advertisement
Advertisement
કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે વધુમાં કહ્યું કે માનવીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે વિમાનમાંથી જીવનજરૂરી ચીજવસ્તુઓને નીચે ફેંકવા સહિત તમામ સંભવિત વિકલ્પોની ચકાસણી કરવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે પરિસ્થિતિને સુધારવા માટે લેવામાં આવેલા પગલાંની કોર્ટને જાણકારી આપવામાં આવે. ખંડપીઠે કહ્યું કે મણિપુર અને નાગરિક સમાજ સંગઠનો સહિત વિવિધ વ્યક્તિઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી 6 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા
મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા યોજવામાં આવેલી ‘આદિવાસી એકતા માર્ચ’ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. તે દરમિયાન, કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી પરિસ્થિતિ તંગ બની છે. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની લગભગ 53% વસ્તી મૈતેઈ છે અને મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે 40% આદિવાસી છે, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે અને તેઓ મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.
Advertisement