સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કલમ 370 નાબૂદ કરવા અને અગાઉના જમ્મુ – કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતની બનેલી પાંચ જજોની બંધારણીય બેન્ચે આ અરજીઓ પર 16 દિવસ સુધી દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
Advertisement
Advertisement
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અરજદાર અથવા પ્રતિવાદી તરફથી હાજર રહેનાર કોઈ વકીલ લેખિત રજૂઆત કરવા માંગતા હોય તો તેઓ આગામી ત્રણ દિવસમાં તેમ કરી શકે છે. જોકે, કોર્ટે કહ્યું કે લેખિત દલીલ બે પાનાથી વધુ લાંબી ન હોવી જોઈએ.
છેલ્લાં 16 દિવસની સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલત, કેન્દ્ર અને હસ્તક્ષેપકારો તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર. વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, સિનિયર વકીલ હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગિરી અને અન્ય લોકોને કલમ 370 નાબૂદ કરવાના સરકારના નિર્ણયનો બચાવ કરતાં સાંભળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવીને જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જાને રદ કરવાના કેન્દ્રના પગલાંની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. કેન્દ્રના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 20 અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
અગાઉ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો હતો કે જમ્મુ – કાશ્મીરના સમગ્ર પ્રદેશમાં “અભૂતપૂર્વ” શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ જોવા મળી છે. કેન્દ્રએ કહ્યું કે આતંકવાદીઓ અને અલગતાવાદી નેટવર્ક દ્વારા આચરવામાં આવતી હિંસા હવે ભૂતકાળની વાત બની ગઈ છે. શિક્ષણનો અધિકાર કાયદો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત આપતા કેન્દ્રીય કાયદાઓ પણ અમલમાં છે.
Advertisement