વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હાલ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. નવી દિલ્હીથી 41 કેનેડિયન રાજદ્વારીઓ પરત ફર્યા પછી તેમની પ્રથમ પ્રતિક્રિયામાં, વિદેશમંત્રીએ રવિવારે કૌટિલ્ય ઈકોનોમિક કોન્ક્લેવમાં કહ્યું, “અમે અમારી બાબતોમાં કોઈપણ પ્રકારની દખલ સહન કરી શકતા નથી.”
Advertisement
Advertisement
જયશંકરે રાજદ્વારી વિવાદ પર એક દિવસ પહેલા અમેરિકા અને બ્રિટન દ્વારા આપવામાં આવેલી વિયેના સંમેલનનું પાલન કરવા માટેની સલાહનો પણ સ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કેનેડાને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે કહેવાથી વિયેના કન્વેન્શનનું કોઈ ઉલ્લંઘન થયું નથી. તેમણે કહ્યું, વિયેના સંધિમાં સમાનતાની સ્પષ્ટ જોગવાઈ છે. સમાનતાનો અર્થ એ છે કે એક દેશમાં બીજા દેશના કેટલા રાજદ્વારીઓ છે અને તે દેશના કેટલા રાજદ્વારીઓ બીજા દેશમાં છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે તેનો અમલ કરવો પડ્યો કારણ કે કેનેડાના કર્મચારીઓ દ્વારા અમારા ઘરેલુ મામલામાં સતત કરવામાં આવતી દખલગીરીએ અમારી ચિંતા વધારી દીધી હતી.
જયશંકરે આશા વ્યક્ત કરી
વિદેશ મંત્રીએ આશા વ્યક્ત કરી કે સુરક્ષાની સ્થિતિમાં સુધારો થશે. તેમણે કહ્યું કે જો સુરક્ષામાં સુધારો થશે તો ભારત ટૂંક સમયમાં કેનેડાના લોકો માટે વિઝા સેવા ફરી શરૂ કરી શકે છે. રાજદ્વારીઓ માટે વિશ્વાસ સાથે કામ કરવું શક્ય બનશે. રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ વિયેના સંમેલનનું સૌથી મૂળભૂત પાસું છે. જયશંકરે કહ્યું કે અત્યારે કેનેડામાં આવા ઘણા પડકારો છે, જેના કારણે અમારા લોકો સુરક્ષિત નથી. અમારા રાજદ્વારીઓની સુરક્ષા પણ ખતરામાં છે. રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ થતાં જ વિઝા સેવા શરૂ થશે.
કેનેડાની રાજકીય નીતિઓ સામે વાંધો
વિદેશ મંત્રી જયશંકરે એમ પણ કહ્યું કે, ભારતને કેનેડાની રાજનીતિના એક વર્ગ અને તેના કારણે લાગુ કરવામાં આવેલી નીતિઓ સામે વાંધો છે. ભારત કેનેડામાં ખાલિસ્તાન તરફી ગતિવિધિઓ સામે વાંધો ઉઠાવી રહ્યું છે. જયશંકરે કહ્યું, હવે કોઈ મોટો ખતરો દૂર નથી. આનો મોટો ભાગ સ્પષ્ટપણે આર્થિક હશે. જ્યારે કટ્ટરવાદ અને ઉગ્રવાદની વાત આવે છે, ત્યારે તે કેન્સરની જેમ ફેલાય છે તે ભયને ઓછો આંકી શકાય નહીં.
Advertisement