ગોવામાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ રહી છે. બીજી તરફ વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે તેમના ચીની સમકક્ષ કિન ગેંગ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન જયશંકરે પૂર્વ લદ્દાખ સરહદ વિવાદને ઉકેલવા અને દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે સરહદ પર શાંતિ સુનિશ્ચિત કરવાનું મહત્વથી તેમને અવગત કરાવ્યા હતા.
Advertisement
Advertisement
જયશંકરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકની બાજુમાં બેનૌલિમના બીચ રિસોર્ટમાં કિન ગેંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યો હતો. એક ટ્વિટમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે બેઠકમાં બાકી મુદ્દાઓને ઉકેલવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
તેમણે ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે, “અમારા દ્વિપક્ષીય સંબંધો પર સ્ટેટ કાઉન્સિલર અને ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. મુદ્દાઓને ઉકેલવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.”
જયશંકરે કહ્યું કે SCO, G-20 અને BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા બે મહિનામાં બંને વિદેશ મંત્રીઓ વચ્ચે આ બીજી મુલાકાત હતી. G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના વિદેશ મંત્રી માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા.
ગયા અઠવાડિયે ડિફેન્સ મંત્રી રાજનાથ સિંહે તેમના ચીની સમકક્ષ લી શાંગફુ સાથેની બેઠકમાં કહ્યું હતું કે ચીન દ્વારા વર્તમાન સરહદ કરારોના ઉલ્લંઘ નથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરહદ સંબંધિત તમામ મુદ્દાઓનું નિરાકરણ નિયમો અનુસાર થવુ જોઈએ.
27 એપ્રિલે આ બેઠક નવી દિલ્હીમાં SCO સંરક્ષણ મંત્રીઓની પરિષદ વખતે થઈ હતી. જૂન 2020 માં ગલવાન ઘાટીમાં ભીષણ અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ભારત અને ચીનના સૈનિકો છેલ્લા ત્રણ વર્ષથી પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કેટલાક ઘર્ષણ બિંદુઓ પર અવરોધમાં છે. જો કે, શ્રેણીબદ્ધ સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટા પછી બંને દેશોના સૈનિકોએ ઘણી જગ્યાએ પીછેહઠ્ઠ કરી છે.
Advertisement