રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ડબલ મર્ડર કેસમાં પ્રભુનાથ સિંહને દોષી ઠેરવ્યા છે. આ કેસમાં નીચલી કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ પટણા હાઈકોર્ટે પણ તેમની મુક્તિને યથાવત રાખી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પ્રભુનાથ સિંહને દોષી ઠેરવ્યા છે અને તેમને 1 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
પ્રભુનાથને 1 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવા આદેશ
સુપ્રીમ કોર્ટે બિહારના ડીજીપી અને મુખ્ય સચિવને પ્રભુનાથને 1 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. 1 સપ્ટેમ્બરે પ્રભુનાથ સિંહની સજા અંગે પણ ચર્ચા થશે. હાલ પ્રભુનાથ સિંહ હત્યાના અન્ય એક કેસમાં હજારીબાગ જેલમાં સજા કાપી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
બિહારની મહારાજગંજ લોકસભા સીટથી ત્રણ વખત જેડીયુ અને એક વખત આરજેડીના સાંસદ રહેલા પ્રભુનાથ સિંહ પર 1995માં મસરખમાં એક મતદાન મથક પાસે 47 વર્ષીય દરોગા રાય અને 18 વર્ષીય રાજેન્દ્ર રાયની હત્યા કરવાનો આરોપ છે. આરોપ છે કે બંનેએ પ્રભુનાથ સિંહ દ્વારા સમર્થિત ઉમેદવારને મત આપ્યો ન હતો. તે કારણે બંનેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલામાં નીચલી અદાલત અને પટણા હાઈકોર્ટે તેમની મુક્તિને યથાવત રાખી હતી. પરંતુ, હવે આ મામલે સુપ્રીમ કોર્ટે તેમને મોટો ઝટકો આપ્યો છે.
Advertisement