વૈશ્વિક મિડિયા સંસ્થાન દ્વારા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલ સતત હુમલા કરી રહ્યું છે, જેમાં સંખ્યાબંધ લોકોના મોત થયા છે. આ નવા રિપોર્ટ અનુસાર ઈઝરાયેલે વધુ એક હવાઈ હુમલો કર્યો છે અને તેમાં પેલેસ્ટાઈનના એક મોટા ગજાના સૈન્ય અધિકારીનું મોત પણ થયું છે. આ સમગ્ર માહિતી પેલેસ્ટાઈનના ઈસ્લામિક સંગઠન જિદાહે આપી છે.
હવે યુનાઈટેડ નેશન્સે ઈઝરાયેલની ટીકા કરી છે હવાઈ હુમલા રોકવા માટે તેમજ બન્ને પક્ષો સંપમ રાખે તેવી અપીલ કરી છે. યુએનના અધિકારી ફરહાન હકે કહ્યું કે, ઈઝરાયેલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોના કાયદા હેઠળ પોતાની જવાબદારીઓનું પાલન કરીને નાગરિકો તેમજ તેમની સંપત્તિને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં.
આ પહેલા મંગળવારે પણ ઈઝરાયેલે કરેલા હુમલામાં આતંકી સંગઠન ઈસ્લામિક જેહાદના ત્રણ કમાન્ડરો તેમજ તેમના પરિવારના સભ્યો મોતને ભેટ્યા હતા.
હવે આ સમગ્ર મામલે ઈઝરાયેલનું કહેવું છે કે આતંકી સંગઠનોની આક્રમકતાના જવાબરુપે અમે આ હુમલા કર્યા છે. કારણ કે આતંકી સંગઠનોએ દક્ષિણ ઈઝરાયેલ પર બે મેના રોજ 102 રોકેટ લોન્ચ કર્યા હતા. જે કમાન્ડરોને મોતને ઘાટ ઉતારાયા છે તેઓ ઈઝરાયેલી નાગરિકો સામે આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા, અમે આતંકવાદ ફેલાવનારા એક પણ વ્યક્તિને છોડવાના નથી.
Advertisement