કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે. આજે એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. આ સાથે હિંસાની ઘટનાઓની CBI પણ તપાસ કરશે. આ ઉપરાંત, અમિત શાહે પીડિતોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી, જેમાંથી 5 લાખ કેન્દ્ર સરકાર અને 5 લાખ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. શાહે જેમની પાસે હથિયાર છે તેઓને તાત્કાલિક તે પોલીસમાં જમા કરાવવા લોકોને અપીલ કરી હતી. આવતીકાલથી પોલીસ કોમ્બિંગ શરૂ કરશે અને કોમ્બિંગ દરમિયાન જેમની પાસેથી હથિયારો મળી આવશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement
Advertisement
મણિપુરના ઈમ્ફાલમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શાહે કહ્યું હતું કે છેલ્લા 6 વર્ષથી મણિપુરમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ ત્યારથી મણિપુર બંધ, કર્ફ્યુ અને હિંસાથી મુક્ત બન્યું છે. મણિપુરમાં ડબલ એન્જિન સરકારે વિકાસના તમામ માપદંડોમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. મણિપુરમાં છેલ્લા એક મહિનામાં હિંસક ઘટનાઓ બની છે. જે નાગરિકો હિંસામાં માર્યા ગયા છે તેમના પરિવારો પ્રત્યે વડા પ્રધાન મોદી, મારા વતી અને ભારત સરકાર વતી સંવેદના વ્યક્ત કરું છું.
આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ બે દિવસમાં તેમણે નાગરિકોના પ્રતિનિધિમંડળો અને હિંસા પીડિત લોકોને મળવા માટે મણિપુરના વિવિધ વિસ્તારોમાં જવાનો પ્રયાસ કર્યો છે. અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. ભારત સરકાર આ તમામ બાબતોની તપાસ કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ સ્તરના ન્યાયાધીશના ન્યાયિક કમિશનની રચના કરીને હિંસા, હિંસાનાં કારણો અને હિંસા માટે કોણ જવાબદાર છે તેની તપાસ કરશે.
શાહના જણાવ્યા અનુસાર, 29 એપ્રિલના રોજ મણિપુર હાઈકોર્ટના એક ઉતાવળભર્યા નિર્ણયને કારણે, અહીં જાતિય હિંસા અને બે જૂથો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. મણિપુરમાં નોંધાયેલા હિંસાના તમામ કેસોમાંથી પાંચ કેસ પસંદ કરવામાં આવ્યા છે અને CBI હિંસા આચરવાના ષડયંત્રનો એક કેસ નોંધીને આ છ કેસોની તપાસ કરશે. આ તમામ કેસોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.
Advertisement