રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે જાહેરાત કરી હતી કે મોનેટરી પોલિસી કમિટી (MPC)એ પોલિસી રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરીને તેને 6.50 ટકા પર યથાવત રાખવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો છે. મોનેટરી પોલિસી કમિટીની બેઠક દર બે મહિને યોજાયછે. અગાઉ એપ્રિલમાં મળેલી MPCની બેઠકમાં પણ નીતિગત વ્યાજ દરો કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જો કે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે તે દરમિયાન કહ્યું હતું કે આ નિર્ણય માત્ર આ બેઠક માટે લેવામાં આવ્યો છે અને વ્યાજ દરો આ જ રીતે રાખવામાં આવે તે જરૂરી નથી. જરૂર પડ્યે તેને વધારી પણ શકાય છે.
Advertisement
Advertisement
નાણાંકીય વર્ષ 2023-24માં મોંઘવારી દર 4 ટકાથી વધુ રહેવાનો અંદાજ
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાણાંકીય વર્ષ 2023-24 માં મોંઘવારી દર 4 ટકાથી વધુ રહેશે. નાણાંકીય વર્ષ 2024 માં CPI 5.2 થી ઘટીને 5.1 ટકા થવાની શક્યતા છે. તેવી જ રીતે, નાણાંકીય વર્ષ 2024 માં 6.5% નો વિકાસ દર શક્ય છે. આ દરમિયાન ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર છ ટકા રહેવાનો અંદાજ છે. તે જ સમયે, નાણાંકીય વર્ષ 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં રિયલ જીડીપી ગ્રોથ આઠ ટકા રહે તેવી શક્યતા છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 5.7% થઈ શકે છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે શહેરી અને ગ્રામીણ માંગ મજબૂત રહી છે.
મૂડીરોકાણમાં સુધારો, ચોમાસું સામાન્ય રહેવાની આશા
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે રોકાણમાં સુધારો થયો છે અને ચોમાસું સામાન્ય રહેવાની અપેક્ષા છે. આરબીઆઈ ગવર્નરે ઉમેર્યું કે રિઝર્વ બેંક મોંઘવારી પર ઝીણવટભરી નજર રાખી રહી છે. આરબીઆઈ ગવર્નરે એમપીસીની બેઠક બાદ કહ્યું કે પાછલા મહિનાઓમાં આયાતમાં ઘટાડો થવાને કારણે વેપાર ખાધમાં પણ ઘટાડો થયો છે. તેમણે એમ પણ જણાવ્યું કે દેશનું વિદેશી મુદ્રા ભંડાર પણ મજબૂત થયું છે.
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે પ્રારંભિક ડેટા દર્શાવે છે કે એફડીઆઈમાં પણ સુધારો થયો છે. કેપેક્સમાં સુધારો કરવા માટે સારું વાતાવરણ છે. દાસે ઉમેર્યું કે એપ્રિલની સરખામણીમાં સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે કહ્યું કે ઈ-રૂપીનો વ્યાપ વધારવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેનાથી દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ પણ વધશે. તેમણે એમ પણ કહ્યું કે હવે બેંકો Rupay પ્રીપેડ ફોરેક્સ કાર્ડ જારી કરી શકશે.
Advertisement