આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે MPCની બેઠક બાદ જાહેરાત કરી હતી રેપો રેટ 6.5 ટકા પર યથાવત રહેશે. તેમણે કહ્યું કે બેંકો મજબૂત છે. એનપીએમાં ઘટાડો થયો છે. કોર્પોરેટ બેલેન્સ શીટ મજબૂત થઈ છે. ભારતના મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ યથાવત છે. ભારતીય અર્થતંત્ર મજબૂત છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે શાકભાજીના ભાવ વધવાથી મોંઘવારી પર અસર પડી છે. જુલાઈ-ઓગસ્ટમાં ફુગાવો વધવાની ધારણા છે. એમપીસીની બેઠક પછી બોલતા, આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે રિઝર્વ બેંકે ઋણધારકોને નિશ્ચિત વ્યાજ દર વ્યવસ્થા અપનાવવાની મંજૂરી આપવા માટે એક રૂપરેખાનો પ્રસ્તાવ કર્યો છે.
Advertisement
Advertisement
રિઝર્વ બેંકે હોમ, કાર લોન સહિત તમામ પ્રકારની લોન લેનારાઓને મોટી રાહત આપતા રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.5% યથાવત રહેશે. સતત ત્રીજી વખત આરબીઆઈએ તેની દ્વિ-માસિક નાણાકીય નીતિમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેંકો ગ્રાહકોને રેપો રેટના આધારે લોન આપે છે. જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકોને વ્યાજ દર વધારવાની તક મળે છે.
ફેબ્રુઆરીથી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી
RBIએ આ વર્ષે ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે તેને 6.5 ટકા યથાવત રાખ્યો છે. MPCની બેઠકમાં આ વખતે પણ પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે MPCની બેઠક દરમિયાન તમામ સભ્યો સર્વસંમતિથી વ્યાજ દર સ્થિર રાખવાના પક્ષમાં હતા. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફુગાવો અને દેવાના પડકારો યથાવત છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ભારત અન્ય દેશોની સરખામણીએ આર્થિક પડકારોનો સામનો કરવા માટે વધુ સક્ષમ છે. અગાઉ એપ્રિલ અને જૂનમાં યોજાયેલી બેઠકમાં પણ કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. RBIએ ફુગાવાને નિયંત્રિત કરવા માટે ગયા વર્ષે મે 2022થી નવ મહિનામાં એક પછી એક રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો.
ભારત વિશ્વનું પાંચમુ સૌથી મોટું અર્થતંત્ર બન્યું: RBI ગવર્નર
MPC મીટિંગ પછી, RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આપણી અર્થવ્યવસ્થા વાજબી ગતિએ આગળ વધી રહી છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે અને વૈશ્વિક વૃદ્ધિમાં લગભગ 15% યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહી છે. કંપનીઓની બેલેન્સ શીટ મજબૂત છે. ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે વૈશ્વિક વ્યાજ દરો અત્યારે ઊંચા રહેશે.
2024માં CPI 5.1% થી વધીને 5.4% થવાનો અંદાજ
આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2024 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન 6.5% જાળવી રાખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 24માં CPI 5.1% થી વધીને 5.4% થવાનો અંદાજ છે. આરબીઆઈના વડાએ કહ્યું કે નાણાંકીય વર્ષ 24 માં જીડીપી વૃદ્ધિ 6.5% રહી શકે છે. જ્યારે FY25માં જીડીપી 6.6% રહી શકે છે. FY25માં CPI 5.2% રહેવાનો અંદાજ છે.
Advertisement