લખનૌ: વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણની જવાબદારી સંભાળતી સંસ્થા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહામંત્રી ચંપત રાયે રામલલા અભિષેકની તારીખની જાહેરાત કરી દીધી છે. તેઓ અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રીમંત રવિન્દ્રપુરી મહારાજને મળ્યા હતા. બેઠક બાદ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના સ્થાપન કાર્યક્રમમાં ભાગ લેવા તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
‘શુભ મૂહુર્તમાં મંદિરમાં રામલલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે’
ચંપત રાયે કહ્યું કે જાન્યુઆરી 2024માં 16 થી 24 જાન્યુઆરીની વચ્ચે મંદિરના ગર્ભગૃહમાં શુભ મુહૂર્તમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. તેમણે કહ્યું કે બે માળના રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. મૂર્તિની સ્થાપના બાદ ભક્તો મંદિરમાં રામ લલાના દર્શન કરી શકશે. દરમિયાન મંદિરના બીજા માળનું નિર્માણ પણ ચાલુ રહેશે.
ચંપત રાયે જણાવ્યું કે હવે સંતોને મૌખિક રીતે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. નવેમ્બરમાં શુભ મુહૂર્ત બાદ સમગ્ર દેશના સંત સમાજને મૂર્તિ સ્થાપના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિધિવત આમંત્રણ પાઠવવામાં આવશે. અખાડા પરિષદના પ્રમુખ શ્રીમહંત રવિન્દ્રપુરી મહારાજે કહ્યું કે વર્ષોની તપસ્યા, ત્યાગ અને સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવાનું હિન્દુ સમાજનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. તમામ હિન્દુઓએ અયોધ્યા જઈને ભગવાન શ્રી રામના દર્શન અવશ્ય કરવા જોઈએ.
પીએમ મોદી મૂર્તિની સ્થાપના કરશે
અગાઉ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજે કહ્યું હતું કે આવતા વર્ષે જાન્યુઆરીમાં રામલલાની સ્થાપના તેના મૂળ સ્થાને કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે. તે સિવાય તેમણે કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ અને 2024ની સામાન્ય ચૂંટણી વચ્ચે કોઈ સંબંધ નથી. અમે ફક્ત અમારું કામ કરી રહ્યા છીએ. રામલલાની મૂર્તિને એક નાનકડા મંદિરમાં સ્થાનાંતરિત કરતા પહેલા લાંબા સમય સુધી એક મંડપમાં રાખવામાં આવી હતી.
Advertisement