કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે રાજસ્થાનના માનગઢ ધામ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સભાને સંબોધન કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. આ અગાઉ મંચ પર, ગેહલોત સરકારે રાહુલ ગાંધીને આદિવાસી મહિલાઓને મફત સ્માર્ટ ફોન અને મફત રાશન કીટ આપીને બે યોજનાઓ શરૂ કરી હતી. ત્યારબાદ સીએમ ગેહલોતે પોતાના સંબોધનમાં જાહેરાત કરી કે 10 ઓગસ્ટથી ઈન્દિરા ગાંધીના નામથી 40 લાખ મહિલાઓને ફ્રી સ્માર્ટ ફોન આપવામાં આવશે. આ સાથે 15 ઓગસ્ટથી ફ્રી રાશન કીટ પણ આપવામાં આવશે.
Advertisement
Advertisement
રાશન કીટમાં શું સામેલ હશે ?
હકીકતે, સીએમ અશોક ગેહલોતે બજેટમાં જાહેરાત કરી હતી કે સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના (NFSA)સાથે સંકળાયેલા પરિવારોને ઘઉંની સાથે મફત રાશન આપશે. 15 ઓગસ્ટથી સરકાર આ યોજના શરૂ કરવા જઈ રહી છે. તેનો લાભ NFSA સાથે જોડાયેલા 1.10 કરોડથી વધુ પરિવારોને મળશે. NFSA સાથે જોડાયેલા પરિવારોને સરકાર જે રાશન કીટ આપશે તેમાં એક કિલો ચણાની દાળ, 100 ગ્રામ ધાણા પાવડર, 50 ગ્રામ હળદર, એક લિટર સોયાબીન તેલ, એક કિલો મીઠું, 100 ગ્રામ લાલ મરચું પાવડર અને એક કિલો ખાંડનો સમાવેશ થાય છે.
યોજના કેવી રીતે અમલી બનશે
આ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે દરેક જિલ્લામાં અલગ-અલગ ટેન્ડરો બહાર પાડવામાં આવશે. તેલ-મસાલા, ખાંડ, કઠોળના પેકેટ સહિત સંપૂર્ણ કીટની કિંમત નક્કી કરવામાં આવશે. રાશનની દુકાનો પર પહોંચીને આ કિટનું વિતરણ કરવામાં આવશે.
જયપુરમાં 359 રૂપિયામાં સરકાર પેકેટ ખરીદશે
આ યોજના માટે જયપુરમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અહીં રાશનના એક પેકેટની કિંમત 359 રૂપિયા આવી છે. સરકાર આટલા રૂપિયામાં આ પેકેટ ખરીદશે અને પછી જનતાને મફતમાં આપશે. જયપુરમાં NFSA હેઠળ જોડાયેલા 7.51 લાખ પરિવારોને આ યોજનાનો લાભ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા NFSA યોજના હેઠળ, પાત્ર પરિવારના દરેક વ્યક્તિને દર મહિને પાંચ કિલો ઘઉં આપવામાં આવે છે. કેન્દ્ર આ ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપે છે. પરંતુ, ગેહલોત સરકાર રાજ્યના લોકોને આ ઘઉં મફતમાં આપશે અને કેન્દ્ર સરકારને પોતે રકમ ચૂકવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થોડા મહિના પછી ચૂંટણી યોજાવાની છે. સત્તામાં પાછા ફરવાનો દાવો કરતી ગેહલોત સરકાર ચૂંટણી પહેલા દરેક ઘર સુધી પહોંચીને મતદારોને જીતવા માંગે છે.
Advertisement