વેગનરના ભાડૂતી સૈનિકોના બળવાને કારણે રશિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. પરંતુ, પરિસ્થિતિ પર સમયસર કાબૂ મેળવી લેવાયો હતો. ત્યાર બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું અને મુશ્કેલીના સમયમાં એકતા દર્શાવવા માટે દેશના લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે રશિયાને બ્લેકમેલ કરવાનો અથવા આંતરિક ખલેલ પહોંચાડવાનો કોઈપણ પ્રયાસ થશે તો તે નિષ્ફળ પૂરવાર થશે. પુતિને દાવો કર્યો કે રશિયામાં આંતરિક વિખવાદ ફાટી નીકળે તેવું પશ્ચિમી દેશો અને યુક્રેન ઇચ્છે છે.
Advertisement
Advertisement
પુતિને ધીરજ અને સમર્થન માટે રશિયાનો આભાર માન્યો
પુતિને દેશવાસીઓનો આભાર માન્યો અને સંબોધનમાં કહ્યું કે બળવીની ઘટનાઓની શરૂઆતથી, મોટા પ્રમાણમાં રક્તપાતને ટાળવા માટે તેમના આદેશો પર કડક પગલાં લેવામાં આવ્યા હતા. તેમણે રશિયાના લોકોનો તેમની ધીરજ અને સમર્થન માટે આભાર માન્યો હતો. પુતિને દાવો કર્યો હતો કે વેગનર જૂથના મોટાભાગના સૈનિકો દેશભક્ત છે. પરંતુ, દુશ્મન તેમનો ખરાબ કામ માટે ઉપયોગ કરવાના હતા. પરંતુ બળવા વચ્ચે રશિયન નાગરિકોની એકતાનો વિજય થયો છે.
આંતરિક વિખવાદનું કાવતરું નિષ્ફળઃ પુતિન
પુતિને કહ્યું કે તે ખરેખર ભાઈચારા જેવું છે. યુક્રેનમાં નવ નાઝી અને તેમના પશ્ચિમી સંરક્ષકો અને તમામ પ્રકારના રાષ્ટ્રીય દેશદ્રોહીઓ અને રશિયાના દુશ્મનો ઇચ્છતા હતા કે રશિયન સૈનિકો એકબીજાને મારી નાખે. પુતિને વધુમાં કહ્યું કે બળવાખોરોની ભૂલ અક્ષમ્ય છે. તેમ છતાં, તેમને તેમની ભૂલનો અહેસાસ છે, તેથી તેમને રશિયન સેનામાં ફરી જોડાવા અથવા બેલારુસ જવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
પુતિને બેલારુસના રાષ્ટ્રપતિનો પણ આભાર માન્યો
પુતિને કહ્યું કે, ઘટનાની શરૂઆતથી જ મારા આદેશ પર મોટા પાયે રક્તપાત ન થાય તે માટે પગલાં લેવામાં આવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે તેઓ તેમની વાત રજૂ કરશે અને વેગનર ગ્રૂરના સૈનિકોને બેલારુસ જવા દેશે અથવા સંરક્ષણ મંત્રાલય અથવા અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે થયેલા કરાર હેઠળ રશિયાની સેવા કરવાનું ચાલુ રાખવાની પરવાનગી આપશે. પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે હું બેલારુસના રાષ્ટ્રપતિ લુકાશેન્કોનો આભારી છું.
Advertisement