દિલ્હી: સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે આશંકા વ્યક્ત કરી છે કે 2024માં પુલવામા અને બાલાકોટ જેવું કંઈક થઈ શકે છે. એટલું જ નહીં અયોધ્યામાં રામ મંદિર પર આતંકવાદી હુમલાની શક્યતા પણ વ્યક્ત કરી છે. આ વખતે પાકિસ્તાનના બાલાકોટમાં થનારી સ્ટ્રાઈકમાં કેટલાંક જવાનોને પણ મોકલવામાં આવી શકે છે. વર્ષ 2019માં માત્ર એર સ્ટ્રાઈક થઈ હતી.
Advertisement
Advertisement
BSFના ભૂતપૂર્વ ADG અને સુરક્ષા બાબતોના નિષ્ણાત એસ કે સૂદે કહ્યું કે, ‘ગજવા-એ-હિંદ’ જેવા આતંકવાદી સંગઠનો 2024 પહેલા રામ મંદિર પર હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. તેને ધ્યાનમાં રાખીને કાશી, મથુરા અને અયોધ્યામાં આવેલા મંદિરોની સુરક્ષા ત્રણ ગણી કરી દેવી જોઈએ. પુલવામામાં સીઆરપીએફ હુમલા અંગે તેમણે કહ્યું કે, સરકાર આ બાબતને ગુપ્ત રાખવા માંગે છે. સૈનિકોને એવી બસમાં બેસાડવામાં આવ્યા હતા જે એક પથ્થર પણ સહન ન કરી શકી.
મંગળવારે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ‘રાષ્ટ્રીય સુરક્ષા બાબતો, ચિંતાઓ અને જવાબદારીઓ’ વિષય પર એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રશાંત ભૂષણ અને એસકે સૂદ સહિત અનેક નિષ્ણાતોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. પ્રશાંત ભૂષણે કહ્યું કે પુલવામા આતંકી હુમલા વિશે ઘણાં સવાલો છે. આ હુમલો કેવી રીતે થયો, શા માટે થયો, આ મામલે અનેક તથ્યો સામે આવી ચૂક્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે પહેલી વાત તો એ છે કે ગુપ્તચર સૂચના હોવા છતાં સૈનિકોને જમીન માર્ગે કેમ મોકલવામાં આવ્યા. તેમને વિમાન દ્વારા કેમ ન લઈ જવાયા ? પુલવામા હુમલાના એક મહિના પહેલા 11 ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યા હતા. પરંતુ તેને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા હતા. સુરક્ષા દળો માટે નિર્ધારિત SOPનું પાલન કરવામાં આવ્યું ન હતું. જે કાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમાં 300 કિલોથી વધુ આરડીએક્સ હતું અને તે કાર ફરતી રહી હતી. કોઈને પણ તેની ગંધ સુદ્ધાં આવી ન હતી.
Advertisement