રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે મળ્યા હતા. ખાપ પંચાયતોએ કેન્દ્રને 9 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે તેવા સમયે આ મુલાકાત થઈ હતી.
Advertisement
Advertisement
બ્રિજભૂષણની ધરપકડની કરી માગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુસ્તીબાજોએ અમિત શાહ સમક્ષ WFIના પૂર્વ અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી છે. ગૃહમંત્રીએ કુસ્તીબાજોને કોઈપણ ભેદભાવ વિના સંપૂર્ણ તપાસની ખાતરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કુસ્તીબાજોએ જ અમિત શાહ સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. અમિત શાહે કહ્યું કે આ મામલે કાયદો પોતાનું કામ કરશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમણે કુસ્તીબાજોને પણ પૂછ્યું કે શું પોલીસને તેનું કામ કરવા માટે સમય આપવો ન જોઈએ.
સાક્ષી મલિકની માતાએ શું કર્યો દાવો?
રવિવારે ઓલિમ્પિયન સાક્ષી મલિકની માતા સુદેશ મલિકે દાવો કર્યો હતો કે સાક્ષી, વિનેશ અને બજરંગ શનિવારે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી બેઠકમાં ગૃહમંત્રીએ ત્રણેય ખેલાડીઓને જોશને બદલે સમજદારીપૂર્વક કામ કરવા જણાવ્યું હતું. સુદેશ મલિકે જણાવ્યું કે શાહે અમિત શાહે કુસ્તીબાજોને આંદોલન સમાપ્ત કરવા સમજાવતા કહ્યું કે કોઈપણ ખેલાડી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. મીટિંગ દરમિયાન કુસ્તીબાજોએ બ્રિજભૂષણની ધરપકડ કરવાની માગ કરી હતી.આ અંગે શાહે કહ્યું કે, કોઈપણ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે.
સોનીપતની મહાપંચાયતમાં કોઈ નિર્ણય નહીં
ત્યારબાદ બજરંગ પુનિયા રવિવારે સોનીપત સ્થિત મુંડલા પંચાયત પહોંચ્યા હતા અને કહ્યું કે આજે કોઈ નિર્ણય લેવાશે નહીં. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ તમામ સંગઠનોને એક મંચ પર લાવીને એક મોટી પંચાયત બોલાવવામાં આવશે. ત્રણ-ચાર દિવસમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. પરંતુ અમિત શાહ સાથેની મુલાકાત બાદ કુસ્તીબાજો ટૂંક સમયમાં તેમનું આંદોલન સમાપ્ત કરે તેવી શક્યતાના સંકેત મળે છે.
Advertisement