દિલ્હીમાં કથિત શરાબ નીતિ કૌભાંડને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ગઈ કાલે શરાબ નીતિ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ તેમની ધરપકડનો વિરોધ કર્યો છે. દિલ્હી, મુંબઈ અને પુણે સહિત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ ED વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ ભાજપે પણ દિલ્હીમાં કેજરીવાલ સરકાર સામે મોરચો ખોલીને આજે રાજઘાટ પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પહેલા ગઈકાલે બીજેપીએ AAP ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું.
Advertisement
Advertisement
મુંબઈમાં અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ AAP હેડક્વાર્ટર પહોંચવા લાગ્યા હતા. નેતાઓના સંબોધન પછી, દેખાવકારોએ બીજેપી હેડક્વાર્ટર તરફ કૂચ કરી, જે દરમિયાન દેખાવકારોએ ‘સંજય સિંહ ઝૂકશે નહીં’ જેવા સૂત્રો સાથેના પોસ્ટર હતા. સંજય સિંહના પિતાએ પણ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
મુંબઈમાં વિરોધ દેખાવોની પરવાનગી અપાઈ ન હતી
મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં ED ઓફિસ પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપી નથી. પાર્ટીનો આરોપ છે કે EDએ સંજય સિંહની ધરપકડ એટલા માટે કરવામાં આવી કારણ કે તેમણે સંસદમાં અદાણી ગ્રૂપ સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, આ ધરપકડને લઈને રાજકીય નિવેદનબાજી પણ તેજ થઈ ગઈ છે, AAP અને BJPના નેતાઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.
Advertisement