મુંબઈ એરપોર્ટ પર એક દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લિયરજેટનું એક જેટ વિમાન ઉતરાણ કરતી વખતે લપસી જતાં ક્રેશ થયું હતું. આ વિમાન આંધ્રના વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહ્યું હતું. ભારે વરસાદને કારણે રનવે ખૂબ ભીનો હતો તેથી ઉતરાણ કરતી વખતે વિમાન લપસી સરકી જતા તૂટી પડ્યું હતું અને તેના બે ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ત્રણ પેસેન્જરોને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
મળતી માહિતી મુજબ મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે એક પ્રાઈવેટ જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ઘટના સામે આવી છે. આ વિમાન આંધ્રના વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહ્યું હતું. આ વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રુ મેમ્બર સવાર હતા. ખરાબ હવામાનના કારણે વિમાન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. મળતા અહેવાલો મુજબ મુંબઈ એરપોર્ટ પર તમામ વિમાનોનું ટેકઓફ અને લેન્ડિંગ હાલ પુરતું બંધ કરી દેવામાં આવ્યું છે.
ભારે વરસાદ અને રનવે ભીનો હોવાથી પ્લેન લપસ્યું
પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈ એરપોર્ટ પર આજે VSR વેન્ચર્સ લિયરજેટ 45 વિમાન વીટી-ડીબીએલ મુંબઈ એરપોર્ટ પર રનવે-27 પર લેન્ડિંગ કરતી વખતે રન-વે પરથી લપસી ગયું હતું અને તૂટી પડ્યું હતું. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી માત્ર 700 મીટર હતી. ડીજીસીએના જણાવ્યા પ્રમાણે હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. ડીજીસીએએ જણાવ્યું હતું કે, આ વિમાન વિશાખાપટ્ટનમથી મુંબઈ એરપોર્ટ આવી રહ્યું હતું, ત્યારે ક્રેશ થયું હતું. VSR વેન્ચર્સ લિયરજેટ 45 વિમાન વીટી-ડીબીએલ મુંબઈ એરપોર્ટ પર રનવે-27 પર લેન્ડ થતી વખતે લપસી ગયું.
VSR Ventures Learjet 45 aircraft VT-DBL operating flight from Visakhapatnam to Mumbai was involved in runway excursion (veer off) while landing on runway 27 at Mumbai airport. There were 6 passengers and 2 crew members on board. Visibility was 700m with heavy rain. No casualties…
— ANI (@ANI) September 14, 2023
આ ખાનગી વિમાન તૂટી પડ્યા બાદ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમજ બચાવ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. હાલ એરપોર્ટ પર તમામ પ્લેનોનું લેન્ડિંગ અને ટેકઓફ હાલપુરતું બંધ કરી દેવામાં આવ્યું છે.
Advertisement