દિલ્હીઃ આજકાલ ટામેટાંએ મોટાભાગના લોકોના ભોજનનો સ્વાદ બગાડી દીધો છે. તેની સીધી અસર લોકોના ઘરના રસોડાના બજેટ પર પડી રહી છે. છેલ્લાં એક મહિનાથી દેશના મોટાભાગના રાજ્યોમાં ટામેટાં કિલોદીઠ 200 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યા છે. આ સ્થિતિમાં લોકોને આશા હતી કે ટૂંક સમયમાં ભાવ ઘટશે. પરંતુ તેની અપેક્ષા રાખી રહેલા લોકોને મોટો આંચકો લાગ્યો છે. જનતા માટે ચિંતાજનક સમાચાર એ છે કે ટામેટાંના ભાવમાં સતત વધારો થશે અને તે ખૂબ વધુ મોંઘા થઈ શકે છે.
Advertisement
Advertisement
જથ્થાબંધ વેપારીઓએ આશંકા વ્યક્ત કરી
ટામેટાંના જથ્થાબંધ વેપારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં ટામેટાંના ભાવ પ્રતિ કિલોએ રૂ.300 સુધી પહોંચી જશે. તેની પાછળનું કારણ ટામેટાંની આવકમાં ઘટાડો હોવાનું કહેવાય છે. તેમનું કહેવું છે કે તેની અસર છૂટક કિંમતમાં વધારાના સ્વરૂપે જોવા મળી શકે છે.
આ અંગે દિલ્હીના આઝાદપુર ટામેટાં એસોસિએશનના પ્રમુખ અને એપીએમસીના સભ્ય અશોક કૌશિકે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ દિવસથી ટામેટાની આવકમાં ઘટાડો થયો છે કારણ કે ભારે વરસાદને કારણે જે વિસ્તારોમાં ટામેટાં થાય છે ત્યાં પાકને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે જથ્થાબંધ બજારમાં ટામેટાંની વર્તમાન કિંમત 160 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 220 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જથ્થાબંધ વેપારીઓને ટામેટાં 200થી વધુ મળતા હોય તો સ્વાભાવિક છે કે છૂટક વેપારીઓને તેના કરતાં વધુ મોંઘા મળશે અને ટામેટાં લોકો સુધી પહોંચશે ત્યાં સુધીમાં તેની કિંમત 300ને પાર થઈ જશે.
દેશનું બે વર્ગમાં વિભાજન થઈ રહ્યું છેઃ રાહુલ ગાંધી
શાકભાજીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત દિવસોમાં દિલ્હીની આઝાદપુર મંડીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શાકભાજીના ભાવ અંગે લોકો સાથે વાતચીત પણ કરી હતી. તે પહેલા રાહુલ ગાંધીએ 28મી જુલાઈએ પોતાના ટ્વિટર પર એક વિક્રેતાનો વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેમણે લખ્યું, “દેશને બે વર્ગમાં વહેંચવામાં આવી રહ્યો છે! એક તરફ સત્તાથી સુરક્ષિત એવા શક્તિશાળી લોકો છે, જેમના નિર્દેશો પર દેશની નીતિઓ બનાવવામાં આવી રહી છે અને બીજી તરફ સામાન્ય ભારતીય છે, જેમની પહોંચમાંથી શાકભાજી જેવી પ્રાથમિક વસ્તુઓ પણ દૂર થઈ રહી છે. આપણે અમીર અને ગરીબ વચ્ચેની આ વધતી જતી ખાઈને પૂરવી પડશે, આ આંસુ લૂછવા પડશે,
Advertisement