ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ બુધવારે એટલે કે આજે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. ઉતરાણ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની જશે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું છે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ-લેન્ડ થવાની સંભાવના છે.
Advertisement
Advertisement
તમિલનાડુમાં ચંદ્રયાન-3ની સફળતા માટે પૂજા
તમિલનાડુમાં રામેશ્વરમ અગ્નિ તીર્થમ પૂજારી કલ્યાણ સંઘના પૂજારીઓએ પણ પ્રાર્થના કરી હતી. પૂજારીઓએ ચંદ્ર પર ચંદ્રયાન-3 નું સફળ ઉતરાણ થાય તે માટે અગ્નિ તીર્થમ બીચ પર પૂજા – અર્ચના કર્યા હતા.
વારાણસીમાં ચંદ્રયાન-3 માટે પ્રાર્થના કરવામાં આવી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ ચંદ્રયાન-3 નું ચંદ્ર પર સફળ ઉતરાણ થાય તે માટે પૂજા – અર્ચના કરવામાં આવ્યા હતા. વારાણસીમાં સાધુઓએ હવન કરીને ચંદ્રયાન -3 ની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
બાગેશ્વર ધામમાં વિશેષ પ્રાર્થના
ચંદ્રયાન-3 નું ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ થાય તે માટે છતરપુરના બાગેશ્વર ધામ ખાતે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું. વિશેષ પ્રાર્થના માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. એક ભક્તે કહ્યું કે, હજારો શ્રદ્ધાળુઓ અહીં પ્રાર્થના કરવા આવ્યા છે.
ગુજરાતઃ સુરતમાં પણ હવન
ગુજરાતમાં પણ ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ ઉતરાણ થાય તે માટે સુરતમાં હવન કરવામાં આવ્યો હતો. સુરતવાસીઓએ કડોદરા ખાતે હનુમાન મંદિરમાં ચંદ્રયાન – 3ની સફળતા માટે હવન કર્યો હતો.
અજમેર શરીફ દરગાહ ખાતે બંદગી
રાજસ્થાનના અજમેરમાં પણ ચંદ્રયાનની સફળતા માટે બંદગી કરવામાં આવી હતી. ચંદ્રયાન-3 નું ચંદ્ર પર સફળ ઉતરાણ થાય તે માટે અજમેર શરીફ દરગાહ ખાતે બંદગી કરવામાં આવી હતી.
દરમિયાન, લોકોએ ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણ માટે લખનૌમાં ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયામાં પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત સફળ ઉતરાણ માટે પ્રયાગરાજમાં શ્રી મઠ બાગંબરી ગદ્દી અને વારાણસીના કામાખ્યા મંદિરમાં હવન કરવામાં આવી રહ્યો છે.
અમેરિકામાં સુદર્શન પટનાયકનું રેત શિલ્પ
આંતરરાષ્ટ્રીય રેત કલાકાર સુદર્શન પટનાયક હાલ અમેરિકામાં છે. તેઓ સાંપ્રત વિષયો પર રેત શિલ્પ બનાવવા માટે પ્રખ્યાત છે. સુદર્શન પટનાયકે અમેરિકામાં કોલોરાડોના ડેનવરમાં ચંદ્રયાન-3 ના ચંદ્ર પર સફળ ઉતરાણની શુભકામના સાથે લઘુ રેત શિલ્પ બનાવ્યું છે.
Jai Ho ?? @isro all the best!
My miniature sand sculpture at Denver, Colorado in the USA, with message “Jai Ho “ for wishing successful lunar landing of #Chandrayaan-3. I have used 25 KG sand in 45 minutes to create this art. pic.twitter.com/fsrgpNNPdt— Sudarsan Pattnaik (@sudarsansand) August 23, 2023
યુપીના ડેપ્યુટી સીએમની શુભેચ્છા
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠકે કહ્યું, “હું મારી શુભેચ્છા પાઠવું છું અને પ્રાર્થના કરું છું કે ચંદ્રયાન-3 ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરે. આખો દેશ રાહ જોઈ રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે દરેક ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ કરી છે. હું વૈજ્ઞાનિકોને નમન કરું છું.”
આરએસએસના નેતાએ શુભેચ્છા પાઠવી
આરએસએસના નેતા સુનીલ આંબેકરે કહ્યું, “ભારતનું ચંદ્રયાન-3 મિશન આપણા સૌ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા દેશના વૈજ્ઞાનિકોએ ભારતનું નામ રોશન કર્યું છે… હું આપણા તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું, તેમને શુભેચ્છા પાઠવું છું. મને ખાતરી છે કે તેઓ સફળ થશે.”
શિવસેનાના કાર્યકરો સિદ્ધિવિનાયક પહોંચ્યા
દેશભરમાં ચંદ્રયાન-3 ના ચંદ્ર પર સફળ ઉતરાણ માટે પ્રાર્થના થઈ રહી છે. દરમિયાન, શિવસેનાના કાર્યકરો પૂણેના શ્રી સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. તેમણે ચંદ્રયાન-3 ના સફળ ચંદ્ર ઉતરાણ માટે પ્રાર્થના કરી હતી. તેમણે પૂજા – અર્ચના પણ કરી હતી.
એનસીપી કાર્યકરોએ હવન કર્યો
મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા અને કાર્યકર્તાઓએ ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણ માટે ગણેશ મંદિર ટેકરી ખાતે હવન કર્યો હતો.
Advertisement