ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદ એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં અત્યાર સુધીમાં 238 લોકોના મોત થયા છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અકસ્માત બાદ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. રેલવે મંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. દુર્ઘટનાના કારણે આજે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાની મુલાકાત લેશે. પહેલા તે બાલાસોરમાં અકસ્માત સ્થળની મુલાકાત લેશે અને પછી કટકની હોસ્પિટલની મુલાકાત લેશે.
Odisha train accident: PM Modi chairs high-level meeting, to visit accident site later today
Read @ANI Story | https://t.co/vclojGuScf#Odisha #OdishaTrainTragedy #PMNarendraModi pic.twitter.com/QsvuBOQZ0a
— ANI Digital (@ani_digital) June 3, 2023
ઘટનાસ્થળે પહોંચેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. સ્થાનિક લોકો, પ્રશાસન, NDRF,આર્મી સૌ મળીને રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. વડાપ્રધાન અહીં આવીને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરશે. હોસ્પિટલ પહોંચ્યા બાદ તે ઘાયલોને પણ મળશે. આ ઘટના કોઈ ટેકનિકલ કારણોસર બની હતી. રેલવે વિભાગે આ અંગે તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે. રેલવે મંત્રી સવારથી જ ઘટનાસ્થળે હાજર છે, તેઓ વ્યક્તિગત રીતે મામલાની દેખરેખ કરી રહ્યા છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બાલાસોરની હોસ્પિટલમાં પહોંચીને બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ એક ખૂબ જ દુઃખદ અકસ્માત છે. આખી રાત લોકોને બચાવવાની કામગીરી કરનારા સ્થાનિક લોકોનો હું આભાર માનું છું. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Advertisement