વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાત પૂર્ણ કરીને આજે સંયુક્ત આરબ અમીરાત પહોંચી ગયા છે. અબુધાબી એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પછી તે અબુ ધાબીના કસર અલ વતન પહોંચ્યા જ્યાં યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ COP 28 UAEના નામાંકિત પ્રમુખ અને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપનીના ગ્રુપ સીઈઓ ડૉ. સુલતાન અલ જાબેર સાથે બેઠક યોજી હતી.
Advertisement
Advertisement
UAEના પ્રમુખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારત અને UAE વચ્ચે એમઓયુની આપ-લે કરવામાં આવી હતી.
UAE સાથે અનેક મહત્વપૂર્ણ કરારોની આપલે કર્યા બાદ PM મોદીએ કહ્યું કે આપણે આપણી ભાગીદારીને મજબૂત કરવા માટે નવી પહેલ કરી રહ્યા છીએ. બંને દેશોની કરન્સીમાં વેપાર કરાર અંગેની આજની સમજૂતી આપણા મજબૂત આર્થિક સહયોગ અને વિશ્વાસને દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું કે અબુ ધાબી આવીને તમને મળીને મને ખૂબ ખુશી થઈ છે. મને આપેલા ઉષ્માભર્યા સ્વાગત માટે અને તમે મારા પ્રત્યે દર્શાવેલ સન્માન બદલ હું તમારો આભાર માનું છું. દરેક ભારતીય તમને સાચા મિત્ર તરીકે જુએ છે
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “એક ઉપયોગી અને ફળદાયી UAE મુલાકાતનો અંત. આપણા દેશો આપણા ગ્રહને સુધારવાના ઉદ્દેશ્ય સાથે ઘણાં મુદ્દા પર સાથે મળીને કામ કરી રહ્યા છે. હું ઉષ્માભર્યું આતિથ્ય સત્કાર કરવા માટે મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને ધન્યવાદ પાઠવું છું.”.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચેની મુલાકાતની કેટલીક તસવીરો ટ્વીટ કરી અને લખ્યું: ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું UAEના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા પ્રતિષ્ઠિત કસર અલ વતન પ્રેસિડેન્શિયલ પેલેસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વ્યાપક ચર્ચા થવાની છે.
Advertisement