વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાતે છે. પીએમ મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી, તે પછી તેમણે વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. આ અવસર પર સમારોહને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજનો આ દિવસ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, હું અહીં આવીને જેટલો ઉત્સાહિત છું તેટલો જ લાગણીશીલ છું.
Advertisement
Advertisement
લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મારા માટે યાદગાર ક્ષણ છે. તેથી મેં ઈનામની રકમ નમામિ ગંગે પ્રોજેક્ટમાં દાન કરવાનો નિર્ણય કર્યો છે. હું આ એવોર્ડ દેશના 140 કરોડ લોકોને સમર્પિત કરું છું. ભારતની આઝાદીમાં લોકમાન્ય ટિળકની ભૂમિકા, તેમના યોગદાનને થોડીક ઘટનાઓ અને શબ્દોમાં સમાવી શકાય તેમ નથી.
#WATCH महाराष्ट्र: प्रधानमंत्री नरेंद्र मोदी को पुणे में लोकमान्य तिलक राष्ट्रीय पुरस्कार से सम्मानित किया गया। pic.twitter.com/JbD9kWBUdU
— ANI_HindiNews (@AHindinews) August 1, 2023
આ ઉપરાંત તેમણે કહ્યું કે ‘વ્યવસ્થા નિર્માણથી સંસ્થા નિર્માણ’, વ્યવસ્થા નિર્માણથી વ્યક્તિ નિર્માણ’, ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’નું વિઝન રાષ્ટ્ર નિર્માણ માટે રોડમેપ જેવું કામ કરે છે. ભારત આજે સંપૂર્ણ નિષ્ઠા સાથે આ રોડમેપનું પાલન કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુણેમાં કાર્યક્રમને સંબોધતા વિપક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આજની સ્થિતિ જુઓ, જો આજે આપણે કોઈ રસ્તાનું નામ કોઈ વિદેશી આક્રમણકારીના નામથી બદલીને કોઈ ભારતીય સેલિબ્રિટીના નામ પર રાખીએ તો કેટલાંક લોકો તેના પર હોબાળો કરવા લાગે છે.
Advertisement