વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની મુલાકાત પૂરી કરીને ઇજિપ્તના કૈરો જવા રવાના થયા છે. પીએમ મોદીની ચાર દિવસીય યુએસ મુલાકાત ઘણી સફળ રહી છે. મોદીની મુલાકાત દરમિયાન અમેરિકામાં વસતા પ્રવાસી ભારતીયોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે અનેક વેપાર કરારો પર હસ્તાક્ષરો થયા હતા. અમેરિકા બાદ પીએમ મોદી ઈજિપ્તા બે દિવસીય પ્રવાસે રવાના થઈ ગયા છે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાર દિવસીય યુએસ પ્રવાસ આજે સમાપ્ત થયો છે. અમેરિકાની મુલાકાત બાદ તેઓ 24 જૂન શનિવારના રોજ બે દિવસની મુલાકાતે ઇજિપ્ત જવા રવાના થયા છે.
Advertisement
Advertisement
પીએમ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપશે
ઇજિપ્તની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન, વડા પ્રધાન પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં પોતાના જીવની આહુતિ આપનારા બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. આ પહેલા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા. ત્યારબાદ તેમણે પીએમ મોદીને ઈજિપ્તની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. મોદી 1997 પછી દ્વિપક્ષીય મુલાકાતે ઇજિપ્તની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે.
ઇજિપ્તમાં ભારતના રાજદૂત અજીત ગુપ્તેએ પીએમ મોદીની મુલાકાત વિશે કહ્યું કે અમારા વડાપ્રધાન 24-25 જૂને ઇજિપ્ત આવી રહ્યા છે. આ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મુલાકાત છે કારણ કે છેલ્લો દ્વિપક્ષીય પ્રવાસ 1997માં થયો હતો. તે પછી 2009માં બિનજોડાણવાદી આંદોલનની બેઠક માટે આપણા વડાપ્રધાન આવ્યા હતા. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી ત્રણ વખત ભારતની મુલાકાતે ગયા છે. તેઓ 2015, 2016 અને 2023 ના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા. બંને દેશો તેમના સંબંધોને કેટલું મહત્વ આપે છે તે છ મહિનાની અંદર બે સત્તાવાર મુલાકાતથી જોવા મળે છે.
Advertisement