વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સિકરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાજર હતા. PM મોદીએ અહીંથી 1.25 લાખ PM કિસાન સમૃદ્ધિ કેન્દ્ર દેશને સમર્પિત કર્યા. ઉપરાંત પીએમ મોદીએ સલ્ફર કોટેડ યુરિયા ગોલ્ડ લોન્ચ કર્યું, તે નીમ કોટેડ યુરિયા કરતાં વધુ સસ્તું અને અસરકારક હશે. આ ઉપરાંત, તેમણે સિકરથી જ PM-કિસાન સન્માન નિધિના 8.5 કરોડ લાભાર્થીઓના બેંક ખાતામાં DBTદ્વારા લગભગ રૂ.17000 કરોડનો 14મો હપ્તો જારી કર્યો.
Advertisement
Advertisement
પીએમ મોદીએ આ અવસર પર એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યો, પોતાના સંબોધનની શરૂઆત કરતા તેમણે કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત થોડાંક દિવસથી બીમાર છે. તેમને પગમાં થોડીક તકલીફ છે, તેઓ આજે આ કાર્યક્રમમાં આવવાના હતા. પરંતુ તે તકલીફના કારણે આવી શક્યા નથી. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.
આ ઉપરાંત, તેમણે કહ્યું કે આજે દેશના કરોડો ખેડૂતોના પીએમ કિસાન સન્માન નિધિના લગભગ 18,000 કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા થયા છે. આજે દેશમાં 1.25 લાખ PM કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય અને બ્લોક સ્તરે બનેલા આ કેન્દ્રોનો સીધો લાભ કરોડો ખેડૂતોને મળશે. અમારી સરકાર દેશના ખેડૂતો સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે. ખેડૂતની શક્તિ, ખેડૂતની મહેનત માટીમાંથી સોનું કાઢી દે છે. તેથી જ સરકાર દેશના ખેડૂતો સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે.
સમારોહને સંબોધતા પીએમએ વધુમાં કહ્યું કે, ખેડૂતોને બિયારણ અને ખાતર પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર જ મળશે. આ ઉપરાંત આ કેન્દ્રમાં ખેતી સંબંધિત સાધનો અને અન્ય મશીનો પણ આ કેન્દ્ર પર મળ્યા કરશે. આ કેન્દ્ર ખેડૂતોને કૃષિ સંબંધિત તમામ આધુનિક માહિતી આપશે. યુરિયાના ભાવ પણ એક ઉદાહરણ છે કે કેવી રીતે અમારી સરકાર તેના ખેડૂત ભાઈઓના પૈસા બચાવી રહી છે. અમારી સરકારે કોરોના અને રશિયા-યુક્રેન યુદ્ધની અસર ખેડૂતો પર પડવા દીધી નથી. આજે દેશમાં યુરિયાની જે બોરી રૂ. 266માં મળે છે, તે જ બોરી પાકિસ્તાનમાં 800, બાંગ્લાદેશમાં 720 અને ચીનમાં 2100 માં મળે છે. અમેરિકામાં યુરિયાની આ જ બોરી 3,000થી વધુમાં ઉપલબ્ધ છે.
Advertisement