પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના વારંગલની મુલાકાતે છે. સવારે તેલંગાણાના વારંગલ પહોંચ્યા બાદ તેમણે ભદ્રકાલી મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે રાજ્ય માટે આશરે રૂ. 6,100 કરોડના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. આ પછી પીએમએ સભામાં ઉપસ્થિત જનતાને સંબોધિત કરી હતી. પીએમએ કહ્યું કે આજે જ્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ બની ગયું છે, ત્યારે તેલંગાણાના લોકોની તેમાં મોટી ભૂમિકા છે. તેમણે કહ્યું, “આજે જ્યારે આખું વિશ્વ ભારતમાં રોકાણ કરવા આવી રહ્યું છે, ત્યારે વિકસિત ભારતને લઈને આટલો ઉત્સાહ છે, તેલંગાણા સમક્ષ તકો છે.” માળખાકીય સુવિધાઓ માટે પહેલા કરતાં અનેકગણી ઝડપથી કામ થઈ રહ્યું છે.
Advertisement
Advertisement
PM મોદીએ સંબોધનમાં શું કહ્યું?
પ્રધાનમંત્રી મોદીએ સભામાં ઉપસ્થિત જનતાને સંબોધિત કરી હતી, પીએમ મોદીએ કહ્યું કે આજે તમામ પ્રકારના પાયાના માળખા માટે પહેલા કરતાં અનેકગણી ઝડપથી કામ થઈ રહ્યું છે અને હાઈવેની સાથે દેશભરમાં ઈકોનોમિક અને ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું, “આજનું નવું ભારત યુવા ભારત છે અને તે ઊર્જાથી ભરેલું છે. 21મી સદીના આ ત્રીજા દાયકામાં આપણી પાસે આ સુવર્ણ સમય આવી ગયો છે. આપણે આ સમયની દરેક સેકન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. દેશનો કોઈ ખૂણો ઝડપી વિકાસની કોઈપણ સંભાવનાથી પાછળ ન રહેવો જોઈએ.
પીએમ મોદીએ જણાવ્યું કે 9 વર્ષ પહેલા તેલંગાણાનું નેશનલ હાઈવે નેટવર્ક 2500 કિ. મી હતું, તે આજે વધીને 5000 કિ.મી.થઈ ગયું છે. આજે, તેલંગાણામાં 2500 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ નિર્માણના વિવિધ તબક્કામાં છે.
પીએમ મોદીએ ઉમેર્યું કે આજે, નાગપુર-વિજયવાડા કોરિડોરના મંચેરિયલથી વારંગલ સેક્શનનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. તે તેલંગાણાને મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ સાથે આધુનિક કનેક્ટિવિટી આપે છે. આનાથી મંચેરિયલ અને વારંગલ વચ્ચેનું અંતર ઘણું ઓછું થશે અને ટ્રાફિક જામની સમસ્યા પણ ઓછી થશે. જે વિસ્તારોમાં વિકાસનો અભાવ હતો ત્યાંથી પસાર થાય છે. આ કોરિડોર મલ્ટિમોડલ કનેક્ટિવિટીના વિઝનને પણ મજબૂત કરશે. કરીમનગર-વારંગલ સેક્શનને ફોર-લેન કરવાથી હૈદરાબાદ-વારંગલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર, કાકટિયા મેગા ટેક્સટાઈલ પાર્ક અને વારંગલ SEZ સાથે કનેક્ટિવિટી પણ મજબૂત થશે.
Advertisement