કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટથી હૈદરાબાદ જવા માટે એર એશિયાની ફ્લાઈટ I5972માં બેસવાના હતા. પરંતુ આ ફ્લાઈટ ગવર્નરને લીધા વગર જ ઉડી ગઈ હતી. રાજ્યપાલની પ્રોટોકોલ ટીમના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યપાલ સમયસર VVIP લાઉન્જમાં પહોંચી ગયા હતા અને રાહ જોઈ રહ્યા હતા.
Advertisement
Advertisement
ગવર્નરને લીધા વિના જ ફ્લાઈટ રવાના થઈ
ગવર્નરની પ્રોટોકોલ ટીમના એક અધિકારીએ જણાવ્યું કે, ગવર્નર ગઈકાલે બપોરે 1:30 વાગ્યે એરપોર્ટ પહોંચ્યા હતા અને ટર્મિનલ 1ના VVIP લાઉન્જમાં બેઠા હતા. એરલાઇનના ગ્રાઉન્ડ સ્ટાફને તેમના આગમનની જાણ કરી દેવામાં આવી હતી. પ્લેન બપોરે 2.50 કલાકે ટેક ઓફ કરવાનું હતું. ગવર્નર ટર્મિનલ એક થી 2:06 વાગ્યે ટર્મિનલ 2 પર પહોંચ્યા, પરંતુ એરલાઇન સ્ટાફે વિલંબને ટાંકીને તેમનું બોર્ડિંગ ક્લિયર કરવાનો ઇનકાર કરી દીધો અને ફ્લાઇટ તેમને લીધે વિના જ રવાના થઈ હતી.
પ્રોટોકોલ ઓફિસરના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ 2.27 કલાકે ટેકઓફ થઈ હતી, પરંતુ એરલાઈન સ્ટાફે ગવર્નરને ફ્લાઈટમાં બેસવાની પરવાનગી આપી ન હતી. જેને પગલે હવે રાજ્યપાલ કાર્યાલય તરફથી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. મામલો સામે આવ્યા બાદ એર એશિયાએ સ્પષ્ટતા કરી છે અને અસુવિધા માટે રાજ્યપાલની માફી માંગી છે. એટલું જ નહીં આ મામલે વિભાગીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
એરલાઈને ઘટના પર ખેદ વ્યક્ત કર્યો
એરલાઈને તેની સ્પષ્ટતામાં કહ્યું, ‘અમને આ ઘટના બદલ ખેદ છે. તપાસ ચાલી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એરલાઇનની વરિષ્ઠ નેતૃત્વ ટીમ આ સંદર્ભે રાજ્યપાલની ઓફિસના સંપર્કમાં છે. અમે ગવર્નર ઑફિસ સાથેના અમારા સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ.
Advertisement