ભારતનું ચંદ્રયાન-3 મિશન તેના અંતિમ તબક્કામાં છે. તમામ પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે, તો વિક્રમ લેન્ડર આજે સાંજે 6.04 વાગ્યે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. રશિયાના મિશનની નિષ્ફળતા બાદ હવે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. આ દરમિયાન પડોશી દેશ પાકિસ્તાનના એક નેતાએ પાકિસ્તાનમાં પણ લેન્ડિંગ પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી છે. આ પાકિસ્તાની નેતા જ પહેલા ઈસરોની મજાક ઉડાવતા હતા, પરંતુ હવે તે ઈસરોના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Advertisement
Advertisement
ફવાદ હુસૈને ભારતના ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ની પ્રશંસા કરી
પાકિસ્તાનની અગાઉની ઈમરાન ખાન સરકારમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી રહેલા ફવાદ હુસૈને ભારતના ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ની પ્રશંસા કરી છે અને તેને માનવજાત માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. ભારતને અભિનંદન આપતાં ભૂતપૂર્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ તેમના દેશને આજે સાંજે ચંદ્રયાન-3ના ચંદ્રની સપાટી પરના લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરવા વિનંતી કરી છે. જો કે હુસૈન પહેલા પણ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની મજાક ઉડાવતા રહ્યા છે.
પ્રથમ મિશનની નિષ્ફળતા પછી મજાક ઉડાવી હતી
ફવાદ હુસૈને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, પાક મીડિયાએ ચંદ્રયાનના ચંદ્ર પર લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ કરવું જોઈએ. માનવજાત માટે ખાસ કરીને ભારતના લોકો માટે એક ઐતિહાસિક ક્ષણ, વૈજ્ઞાનિકો અને અવકાશ સમુદાયને અભિનંદન. ફવાદ હુસૈને અગાઉ 14 જુલાઈના રોજ ઈસરોએ ત્રીજું ચંદ્ર મિશન લોન્ચ કર્યું હતું ત્યારે ભારતના અવકાશ અને વિજ્ઞાન સમુદાયને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું, “ચંદ્રયાન 3 ના પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ અને વિજ્ઞાન સમુદાયને અભિનંદન, શુભેચ્છાઓ. 2019માં ચંદ્રયાન-2 મિશનની નિષ્ફળતા બાદ પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ ભારત અને ઈસરોની મજાક ઉડાવી હતી. તેમણે ચંદ્રયાન-2 પર 900 કરોડ ખર્ચવા બદલ ઈસરો અને ભારતના વડાપ્રધાનને પણ ટ્રોલ કર્યા હતા.
Advertisement