તોશાખાના કેસમાં દોષી જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલી વધી ગઈ છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ) ને મોટો ફટકો આપતાં પાકિસ્તાનના ચૂંટણી પંચે પીટીઆઈના વડા ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. આ પહેલા તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાનને 3 વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
Advertisement
Advertisement
ઈમરાનની રાહત માંગતી અરજી ફગાવી દેવામાં આવી
આ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહત માંગતી ઈમરાન ખાનની અરજીને ફગાવી દીધી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા ઈમરાન પર આરોપ હતો કે તેમણે તોશાખાનામાંથી મળેલી ભેટની વિગતો “ઈરાદાપૂર્વક છુપાવી” હતી. કોર્ટમાં આરોપો સાબિત થયા બાદ આ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
તોશાખાના એ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના વડાઓ, વિદેશી મહાનુભાવો તરફથી રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સંસદસભ્યો, અમલદારો અને અધિકારીઓની ભેટો રાખવામાં આવે છે. વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પર આરોપ હતો કે તેઓ તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટને ઓછી કિંમતે ખરીદતા હતા અને પછી તેને વેચીને નફો કમાતા હતા. ઈમરાન ખાન 2018માં પીએમ બન્યા હતા. આરબ દેશોની મુલાકાત દરમિયાન તેમને ત્યાંના શાસકો પાસેથી મોંઘીદાટ ભેટો મળી હતી. ઈમરાને તે ભેટોને તોશાખાનામાં જમા કરાવી હતી. પરંતુ બાદમાં ઈમરાન ખાને તે ભેટો તોશાખાનામાંથી સસ્તા ભાવે ખરીદીને અને નફો કરીને વેચી દીધી હતી. આ સમગ્ર પ્રક્રિયાને તેમની સરકાર દ્વારા કાયદેસરની પરવાનગી આપવામાં આવી હતી.
ચૂંટણી પંચે કોર્ટને કહ્યું કે ઈમરાન ખાને આ ભેટો રૂ. 2.15 કરોડમાં ખરીદી હતી અને રૂ. 5.8 કરોડમાં વેચી દીધી હતી. આ ભેટોમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે.
Advertisement