ભારતીય વાયુસેનાનું વિમાન IAF C-130J સુદાનમાં ફસાયેલા 135 લોકોને લઈને જેદ્દાહ, સાઉદી અરેબિયા, સુદાન પહોંચી ગયું છે. સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલ ભારતીયોની આ ત્રીજી બેચ છે.
Advertisement
Advertisement
અગાઉ, વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને બીજા બેચમાં આવેલા 148 લોકોનું નેતૃત્વ કર્યું હતું. આ સાથે નેવીની INS સુમેધા 278 લોકો સાથે જેદ્દાહ પોર્ટ પહોંચી હતી.
વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું, “ઓપરેશન કાવેરી પૂર ઝડપે ચાલી રહ્યું છે. બીજા એરક્રાફ્ટ IAF C-130Jને સુદાનના બંદરથી જેદ્દાહ માટે રવાના કરવામાં આવ્યું છે. ઓપરેશન કાવેરી હેઠળ બચાવવામાં આવનાર ભારતીયોની આ ત્રીજી બેચ છે.”
છેલ્લા દસ દિવસથી સુદાનની રાજધાની ખાર્તુમ અને દેશના અન્ય ભાગોમાં બે સૈન્ય દળો એકબીજા સાથે અથડામણ કરી રહ્યાં છે.
આ ટકરાવના કેન્દ્રમાં બે જનરલ છે. અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન, સુદાનીસ આર્મ્ડ ફોર્સીસ (FAS) ના વડા અને મોહમ્મદ હમદાન દગાલો, જેને હેમેદતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) ના નેતા છે.
વર્ષ 2021માં બંનેએ સાથે મળીને કામ કર્યું હતું અને સંયુક્ત રીતે દેશમાં બળવો કર્યો હતો, પરંતુ હવે વર્ચસ્વ માટે બંને વચ્ચેની લડાઈએ સુદાનને બરબાદ કરી દીધું છે.
Advertisement