ભારત સરકારે 5 મેના રોજ સુદાનના ગૃહયુદ્ધમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે ‘ઓપરેશન કાવેરી’ની સમાપ્તિની ઘોષણા કરી છે અને ભારતીય વાયુસેનાનું છેલ્લુ વિમાન 47 મુસાફરો સાથે સ્વદેશ પરત ફર્યું છે. સૈન્ય અને અર્ધલશ્કરી દળ વચ્ચે હિંસક અઠડામણ બાદ સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારતે 24 એપ્રિલે ઓપરેશન કાવેરી શરુ કર્યું હતું.
વિદેશ મંત્રી જયશંકરે માહિતી આપી છે કે શુક્રવારે ભારતીય વાયુસેનાના C130 એરક્રાફટના આગમન સાથે ઓપરેશન કાવેરી દ્વારા 3862 લોકોને સુદાનથી બહાર કાઢવામાં આવ્યા છે.
ભારતીય વાયુસેનાએ 17 સોર્ટી ચલાવી હતી અને ભારતીય નૌકાદળે ભારતીયોને પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ લઈ જવા માટે પાંચ સોર્ટી કરી હતી.
ઉપરાંત 86 ભારતીયોને સુદાનની સરહદે આવેલાને પરત લવાયા છે. જયશંકરે સુદાનથી લાવવામાં આવેલા ભારતીયોને હોસ્ટ કરવા અને સ્થળાંતર પ્રક્રિયામાં મદદ કરવા બદલ સાઉદી અરેબિયાનો પણ આભાર માન્યો હતો. તેમણે ચાડ, ઈજિપ્ત, ફ્રાન્સ, દક્ષિણ સુદાન, સંયુક્ત આરબ અમીરાત, બ્રિટન, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રનો પણ આભાર માન્યો હતો.
Advertisement