સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સુદાનમાં સ્થિતિ વણસી છે. લગભગ 3000 ભારતીયો અહીં ફસાયેલા છે. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત સરકારે “ઓપરેશન કાવેરી” શરુ કર્યું છે.
જે અંતર્ગત બુધવારે રાત્રે 360 ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી ગઈ હતી. એરપોર્ટ પર પહોંચતા જ લોકોએ ભારત માતા કી જય, ભારતીય સેના ઝિંદાબાદ, પીએમ નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
સુદાનથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું કે, ભારત સરકારે અમને ઘણો સાથ આપ્યો છે. મોટી વાત એ છે કે અમે સુરક્ષિત રીતે અહીં પહોંચ્યા કારણ કે આ ખૂબ જ ખતરનાક હતું.
જ્યારે એક અન્ય નાગરિકે જણાવ્યું કે, હું એક IT પ્રોજેક્ટ માટે ત્યાં ગયો હતો અને ત્યાં ફસાઈ ગયો હતો. એમ્બેસી અને સરકારે પણ ઘણી મદદ કરી હતી. જિદ્દાહમાં લગભગ 1000 લોકો હાજર છે. સરકાર ઝડપથી લોકોને ત્યાંથી બહાર કાઢી રહી છે.
વિદેશ મંત્રી એસ.જયશંકરે દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા લોકોના ફોટો શેર કરતા ટ્વિટ કરી કે, ભારત પોતાના લોકોના પરત આવવાનું સ્વાગત કરે છે. જિદ્દાહ છોડતા પહેલા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને પ્લેનની અંદર મુસાફરોનો એક વિડિયો શેર કર્યો અને ટ્વિટ હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયને પરત લાવવાનો સંકલ્પ કર્યો છે.
Advertisement