ભગવાન અને ભક્ત વચ્ચેના ખાસ સંબંધને પડદા પર રજૂ કરતી અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ ઘણાં સમયથી ચર્ચામાં છે. નિર્માતાઓએ પવિત્ર શ્રાવણ માસમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેને બધાએ ખૂબ પસંદ કર્યું હતું. પરંતુ હવે ‘OMG 2’ વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્સર બોર્ડે અક્ષય કુમાર અભિનીત આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની આગામી ફિલ્મ OMG 2 નું ટીઝર 11 જુલાઈએ રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમારના લુકે સનસનાટી મચાવી દીધી છે. ફિલ્મમાં અક્ષય ભગવાન શિવના રોલમાં જોવા મળી રહ્યો છે. તે 2012માં આવેલી ફિલ્મ OMG એટલે કે ઓહ માય ગોડની સિક્વલ છે.
Advertisement
Advertisement
સેન્સર બોર્ડે ફરીથી રિવ્યૂ માટે મોકલી
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, OMG-2ને ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કર્યા બાદ સેન્સર બોર્ડે OMG-2ને સમીક્ષા માટે પાછી મોકલી દીધી છે.
ટીઝરમાં શું છે?
OMG-2નું ટીઝર 11 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. OMG-2 આસ્તિક અને નાસ્તિક વચ્ચેનો તફાવત પણ દર્શાવશે. ટીઝરમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી જોવા મળે છે. ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીના વોઈસઓવરથી થાય છે. પંકજ કહે છે કે આસ્તિક અથવા નાસ્તિક બનીને કોઈ પણ વ્યક્તિ ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તે સાબિત કરી શકે છે. પરંતુ, ભગવાન તેમના ભક્તો વચ્ચે ક્યારેય ભેદભાવ કરતા નથી, પછી તે નાસ્તિક કાનજી લાલ મહેતા હોય કે આસ્તિક કાંતિ શરણ મુદગલ… આ પછી ટીઝરમાં અક્ષય કુમારની જોરદાર એન્ટ્રી થાય છે. તે નદીમાંથી બહાર નીકળતો જોવા મળે છે. ટીઝરમાં અક્ષય ભગવાન ભોલાનાથના પાત્રમાં જોવા મળે છે. આ પછી અક્ષયનો અવાજ આવે છે, રખ વિશ્વાસ તુ હૈ શિવ કા દાસ…એકંદરે ટીઝર એકદમ પાવરફુલ લાગે છે. ઘણા લોકોએ ટીઝર વખાણ કર્યા હતા અને કેટલાક લોકોએ વિરોધ પણ શરૂ કર્યો હતો.
11 ઓગસ્ટે રિલીઝ થશે કે નહીં?
રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલ OMG 2 માં પણ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે OMG 2નો સામનો 11 ઓગસ્ટના રોજ સની દેઓલની ગદર 2 સાથે થવાનો હતો. પરંતુ સેન્સર બોર્ડના નિર્ણયને કારણે હવે ફિલ્મની રિલીઝ પર તલવાર લટકી રહી છે. આદિપુરુષના કારણે બોર્ડ હવે ધીમે ધીમે પગલાં ભરી રહ્યું હોવાનું મનાય છે.
Advertisement