ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાએ ઘણા પરિવારોને વિખેરી દીધા છે. કોઈ પિતા પોતાના પુત્રને શોધી રહ્યા છે, તો કોઈ પુત્ર તેના પિતાને શોધી રહ્યો છે. કોઈનો ભાઈ ઘાયલ છે, કોઈની માતા ગુમ છે. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં હજુ પણ શોકનો માહોલ છે. પ્રિયજનોની શોધ ક્યારેય પૂરી થવાની નથી. પીડા એટલી હદે છે કે એક વ્યક્તિએ તેના ભત્રીજાના મૃતદેહને ઓળખ્યો, પરંતુ બીજા પાંચ લોકો તે તેમનો સંબંધી હોવાનો દાવો કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી થઈ છે કે સગાસંબંધીઓને શોધવા માટે ડીએનએની મદદ લેવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
મોહમ્મદ ઈનામ ઉલ હકે કહ્યું કે તેના ભત્રીજા અને તેના ભાઈનું ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું, તેથી તેમના મૃતદેહો લેવા માટે આવ્યા છીએ. અમે છેલ્લાં ચાર દિવસથી આમતેમ ભટકતા હતા. આ ટ્રેનમાં મારો ભાઈ અને બે ભત્રીજા (તૌસીફ આલમ અને તૌસીર આલમ) મુસાફરી કરી રહ્યા હતા, જેમનું મૃત્યુ થયું હતું. આજે એઈમ્સમાં ભત્રીજાનો મૃતદેહ મળ્યો છે. હવે હું મારા ભાઈ અને બીજા ભત્રીજાને શોધી રહ્યો છું.
4 દિવસથી ભાઈ-ભત્રીજાની શોધખોળ
ઇનામે કહ્યું કે તેમણે તેમને શોધવા માટે તેમનાથી થઈ શકે તે બધું જ કર્યું, અધિકારીઓએ મને તપાસ કરવા કહ્યું હતું તે તમામ હોસ્પિટલોમાં તેઓ ગયા. તેમને બધે જ શોધ્યા પણ હજુ સુધી કોઈ મળ્યું નથી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીએનએ સેમ્પલ આપવા પડશે. તેમના એક ભત્રીજાનો મૃતદેહ મળી આવ્યો છે પરંતુ બીજા પાંચ લોકો તેને પોતાનો સંબંધી ગણાવી રહ્યા છે, તેથી અધિકારીઓએ ડીએનએ ટેસ્ટ કરાવવા કહ્યું છે, જેનો ડીએનએ મેચ થશે તેને મૃતદેહ સોંપવામાં આવશે.
ટ્રેન અકસ્માતમાં પોતાના સ્વજનોને ગુમાવનારા લોકો ઓડિશાની અલગ-અલગ હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે. પરંતુ ઘણા લોકોને માત્ર નિરાશા જ સાંપડી રહી છે. ઘણાં લોકોને તેમના સ્વજનોના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી.
અકસ્માતમાં પુત્ર અને બે પૌત્રોના મોત
ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા 12 વર્ષના છોકરાના દાદા નિઝામુદ્દીને કહ્યું કે તે મારો પૌત્ર છે. તેનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ તેના પિતા અને મોટા ભાઈ વિશે કંઈ જાણવા મળ્યું નથી. ઘણી કોશિશ કરી, આમતેમ રખડ્યા પણ હજુ મારા પુત્ર અને પૌત્ર મળ્યા નથી. માત્ર એક પૌત્રનો મૃતદેહ મળ્યો છે, તેથી અમારે મજબૂરીમાં સાથે લઈ જવો પડે છે.
Advertisement