નૂંહ હિંસા બાદ હરિયાણા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ તાવડુને ગુરુવારે એક મોટી સફળતા મળી છે. નૂહ હિંસાના બે આરોપીઓનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. અથડામણ દરમિયાન એક આરોપીને ગોળી વાગી હતી. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
માહિતી અનુસાર, ઇન્સ્પેક્ટર સંદિર મોરના નેતૃત્વમાં રચાયેલી ટીમે નૂંહ હિંસા કેસમાં સંડોવાયેલા આરોપી ગવારકામાં રહેતા મુનફેદ અને સહ-આરોપી સૈકુલની પોલીસ એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. આ એન્કાઉન્ટરમાં સૈકુલને પગમાં ગોળી વાગી હતી. પોલીસ ટીમે આરોપી સૈફુલને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ટીમને આરોપીઓ પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટનો કટ્ટો, એક બાઇક અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. ક્રાઈમ બ્રાંચની આ કાર્યવાહી તાવડુના સિલ્ખો ગામની ટેકરી પાસે થઈ હતી.
પોલીસે 104 એફઆઈઆર નોંધી, 216ની ધરપકડ
ગત 6 ઓગસ્ટ સુધી પોલીસે કરેલી કાર્યવાહીમાં 104 એફઆઈઆર નોંધી હતી અને 216 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય 88 લોકોને અટકમાં લેવામાં આવ્યા હતા. આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે સાથે જ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવાના આરોપમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગુરુગ્રામ જિલ્લામાં હિંસા અંગે શુક્રવાર સુધીમાં 27 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 60 લોકોને તકેદારીના પગલાં તરીકે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ભડકાઉ પોસ્ટના 2300 વીડિયોની તપાસ ચાલી રહી છે.
નૂંહ હિંસા પછી વહીવટીતંત્રની કાર્યવાહી
નૂંહમાં સાંપ્રદાયિક હિંસા પછી, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રોહિંગ્યાઓની ગેરકાયદેસર વસાહતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને 250 થી વધુ ઝૂંપડીઓ તોડી પાડવામાં આવી છે. હિંસામાં આ રોહિંગ્યાઓની સંડોવણી હોવાની માહિતી સામે આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 31 જુલાઈના રોજ નૂંહમાં બ્રજમંડલ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા નૂંહના નલ્હેશ્વર મંદિરથી શરૂ થઈ હતી અને ફિરોઝપુર ઝિરકા થઈને પુન્હાના સબ-ડિવિઝનના સિંગાર ગામમાં શિવ મંદિરે પૂરી થવાની હતી. પરંતુ તે પહેલા જ યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.
Advertisement