હરિયાણાના નૂહમાં એક શોભાયાત્રા પર થયેલા હુમલા બાદ ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસામાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. વ્યવસ્થા જાળવી રાખવા માટે, નૂહમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે અને તોફાનીઓને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. હિંસામાં દસ પોલીસકર્મીઓ સહિત 60થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ મામલે નિવેદન આપતાં કહ્યું કે આ રમખાણો એક મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે. અમે ગુનેગારોને છોડીશું નહીં.
Advertisement
Advertisement
કયા નવ જિલ્લાઓને સંવેદનશીલ જાહેર કરાયા ?
આ સાથે રાજ્યના નવ જિલ્લા ગુરુગ્રામ, ફરીદાબાદ, પલવલ, ઝજ્જર, યમુનાનગર, સોનીપત, પાણીપત અને જીંદને નૂહમાં હિંસા બાદ સંવેદનશીલ વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સોમવારે ફાટી નીકળેલી હિંસા બાદ નૂહમાં તંગદિલીનો માહોલ છે. ત્યારથી, વહીવટીતંત્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
આ દરમિયાન હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત સિંહ ચૌટાલાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે શોભાયાત્રામાં કેટલા લોકો ભાગ લેવાના છે તે અંગે અમને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જેના કારણે આ હિંસા ફાટી નીકળી હતી. અમે જે લોકો દોષી હશે તેમને છોડીશું નહીં. સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. આ દરમિયાન તેમણે લોકોને શાંતિ સ્થાપવાની અપીલ કરી હતી.
પાંચ લોકોનું મોત
નૂહ સિવાય ગુરુગ્રામ, ફરીદાબાદ અને પલવલ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં પરિસ્થિતિ તંગ છે. મંગળવારે યમુના નગર અને જીંદ સહિત કેટલાંક સ્થળોએ છૂટાછવાયા બનાવો નોંધાયા હતા. હિંસાને કારણે અત્યાર સુધીમાં બે પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. નૂહના અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં અર્ધલશ્કરી દળોની તેર કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે.
Advertisement