નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. આ બસમાં યાત્રાળુઓ સવાર હતા. તેમાં મોટાભાગના લોકો ભારતના હતા.
Advertisement
Advertisement
રિપોર્ટમાં જિલ્લા પોલીસ કચેરીના નાયબ પોલીસ અધિક્ષક સંતુલાલ પ્રસાદ જયસ્વારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે અને 15 અન્ય લોકો ઘાયલ થયા છે.” મૃત્યુઆંક વધી શકે છે. બચાવ કાર્ય ચાલુ છે.
ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ
જિલ્લા પોલીસ બારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચારનું સારવાર દરમિયાન મોત થયું હતું. બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કહેવાય છે કે બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી. આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરીને લગભગ 15 મીટર નીચે ખાઈમાં પડી ગઈ હતી.
મૃતકોની ઓળખ
જિલ્લા પોલીસ કચેરી મકવાનપુરે મૃતકોની ઓળખ લોહાર પટ્ટી, મહોત્તરીના 41 વર્ષીય બિજય લાલ પંડિત અને રાજસ્થાનના બહાદુર સિંહ (67), મીરા દેવી સિંહ (65), સત્યવતી સિંહ (60), રાજેન્દ્ર ચતુર્વેદી (70), શ્રીકાંત ચતુર્વેદી (65) અને બૈજંતી દેવી (67) તરીકે કરી છે.
બસમાં 26 મુસાફરો સવાર હતા
મકવાનપુરના ડીપીઓ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર બસમાં કુલ 26 મુસાફરો હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા 17 લોકોની હેટૌડા હોસ્પિટલ, સાંચો હોસ્પિટલ, ચુરેહિલ હોસ્પિટલ અને ઓલ્ડ મેડિકલ કોલેજ ભરતપુરમાં સારવાર આપવામાં આવી રહી છે.
Advertisement