ઉત્તરપ્રદેશની વારાણસીની MP MLA કોર્ટે અવધેશ રાય હત્યા કેસમાં જેલમાં કેદ માફિયા મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે જ કોર્ટે એક લાખ રુપિયાનો દંડ પણ કર્યો છે.
Advertisement
Advertisement
3 ઓગસ્ટ 1991ના રોજ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય અજય રાયના ભાઈ અવધેશ રાયની વારાણસીમાં અજય રાયના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સશસ્ત્ર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને અવધેશ રાયની હત્યા કરી હતી. 32 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે અંસારીને દોષી જાહેર કર્યો છે અને આજીવન કેદની સજા ફરમાવી છે.
કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસના નેતા અને મૃતકના ભાઈ અવધેશ રાયે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ 32 વર્ષની લડાઈ જે અમે બધાએ સાથે મળીને લડી છે તે સફળ રહી છે અને કોર્ટે આવા ખતરનાક ગુનેગારને આજીવન કેદની સજા ફટકારી છે. અમે ન્યાયતંત્રના આભારી છીએ. હું સતત સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યો છું પરંતુ સુરક્ષા વધારવામાં આવી નથી. મારી સાથે કોઈ દુર્ઘટના થશે તો તેના માટે ભાજપ જવાબદાર રહેશે.
આ મામલાથી બચવા માટે મુખ્તાર અંસારીએ જૂન 2022માં કેસની સુનાવણી દરમિયાન કેસની ડાયરી ગાયબ કરાવી દીધી હતી. અવધેશ રાયના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે મુખ્તાર અંસારી સહિત પૂર્વ ધારાસભ્યો અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવ ઉર્ફે રાકેશ જસ્ટિસ વિરુદ્ધ ગુના નંબર 229/91 હેઠળ વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.
કોર્ટે બપોરે 2 વાગ્યા પછીની કાર્યવાહીમાં મુખ્તાર અંસારી આજીવન કેદની સજા સંભળાવી હતી. આ અગાઉ અજય રાયના વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે મુખ્તાર અંસારીની સજા બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે. એમપી એમએલએ કોર્ટમાં માત્ર મુખ્તાર અન્સારીનો જ કેસ ચાલી રહ્યો હતો, બાકીના આરોપીઓનો કેસ અલ્હાબાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેન્ડિંગ છે.
Advertisement