બંગાળની ખાડીમાં તૈયાર થઈ રહેલા મોચા વાવાઝોડું ધીરે ધીરે તેની પ્રચંડતા ધારણ કરી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી નોંધપાત્ર રીતે મોચાનું સ્વરુપ બદલાઈ રહ્યું છે અને તે ધીમે ધીમે ભારત તરફ ફંટાઈ રહ્યું છે.
Advertisement
Advertisement
મોચાના ઘેરાવમાં અંદમાન-નિકોબાર ટાપુ આવી ગયા છે જેના કારણે અંદમાન-નિકોબારમાં ભારે વરસાદ સાથે પવન ચાલુ છે. લગભગ એક દિવસ સુધી અંદમાન-નિકોબાર ટાપુની આ સ્થિતિ રહેશે અને પછી તે આ અસરમાંથી બહાર તો નીકળી જશે પરંતુ મોચા હવે ધીમે ધીમે ભારત તરફ ખસી રહ્યું છે તેવું જાણકારોનું માનવું છે.
હવામાન વિભાગના વડા મૃત્યુંજય કુમારનું કહેવું છે કે આ વાવાઝોડું 12મી મે સુધીમાં બંગાળની ખાડીના ઉપરના ભાગ સુધી આવી જશે. એ પછી એ ક્યાં જશે એ જોવાનું રહ્યું. એ ભારતના ક્યાં ભૂમિ ભાગને ટકરાશે એ દિશા હજુ જાણી શકાતી નથી.
મોચાને કારણે આંધ્રપ્રદેશ, બિહાર, પંજાબ, ઓરિસ્સા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, કેરલ, કર્ણાટક, તમીલનાડુ, પોંડિચેરી, કરાઈકલ, આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં વરસાદ થશે.
યમનના હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાનું નામ મોચા પાડવામાં આવ્યું છે. આ વાવાઝોડાનો ઘેરાવો ઘણો મોટો છે અને તેની તીવ્રતા પણ ઘણી વધારે છે. આ તીવ્રતા પણ વધી શકે છે. નિષ્ણાંતો અનુસાર મોચા 14મી સુધીમાં કયા કિનારેથી પ્રવેશ કરશે તે સ્પષ્ટ થઈ જશે.
કેન્દ્ર સરકારની ડિસાસ્ટર મેનેજમેન્ટની ટીમે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ઉપગ્રહ આધારિત આગાહીને કારણે વાવાઝોડા દરમ્યાન લોકોના સ્થળાંતરની કામગીરી હંમેશા સફળ રહી છે અને મોટી જાનહાની નિવારી શકાઈ છે. છતાં વાવાઝોડાની તિવ્રતાની સામે સ્થાવર મિલ્કતને થતાં નુકસાને અટકાવી શકાતા નથી.
Advertisement