હવામાન ખાતના નિષ્ણાંતો સતત મોચા વાવાઝોડાને ટ્રેક કરી રહ્યા છે. ગઈકાલ સુધી મોચા વાવાઝોડું અંદમાન નિકોબારની સમાંતરે બંગાળની ખાડીમાં ઉત્તર તરફ ગતિ કરી રહ્યું હતું. આજે વાવાઝોડામાં પવનની ગતિ વધતાં પૂર્ણ વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હાલ તે બંગાળની ખાડીની બરોબર મધ્યમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે આંદમાન નિકોબારમાં ભારે વરસાદ વરસ્યો હતો.
Advertisement
Advertisement
હવામાન ખાતાએ પૂર્વ કિનારાના આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળને અગાઉથી જ ચેતવણી આપી છે. વાવાઝોડું ભારતના કિનારાઓને જ ટકરાશે કે કેમ એ વાત હજી નક્કી નથી થતી. પવનની દિશા ઉત્તર-પૂર્વની હોવાથી તે બાંગ્લાદેશમાં ટકરાય તેવી શક્યતા છે. બંગાળની ખાડીથી કિનારાનું અંતર વધારે હોઈ એવું પણ બને કે તે દરિયામાં દબાણમાં ફેરવાઈને પૂર્વના રાજ્યોમાં વરસાદ લાવે.
વાવાઝોડાને કારણે પૂર્વ ભારતમાં વરસાદ પડવાની વકી છે. આ જ પ્રેશર મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી પણ અસર કરી શકે છે.
જો વાવાઝોડું પૂર્ણ વાવાઝોડામાં ફેરવાઈને કોઈપણ કિનારાને ટકરાશે તો તે તબાહી મચાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. કારણ કે આ વાવાઝોડાનો ઘેરાવો વધારે વિશાળ છે. હવામાન નિષ્ણાંતોના મતે 130 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
ભારત સરકારે પણ એનડીઆરએફની ટીમોને તૈયાર રાખી છે જેથી આ વાવાઝોડાની વિપરિત અસરોને મહત્તમ લેવલે ટાળી શકાય.
Advertisement