સામાન્ય રીતે ભારતમાં જૂન કે જૂલાઈમાં વાવાઝોડા સક્રિય થતા જોવા મળે છે. પરંતુ આ વર્ષે મોચા વાવાઝોડું મે મહિનાની શરૂઆતમાં જ સક્રિય થયું છે. હવામાન વિભાગના જણાવ્યા. પ્રમાણે મોચા 12 મે પછી વધુ સક્રિય થશે અને એ કઇ તરફ ગતિ કરે છે એ નક્કી કરશે.
Advertisement
Advertisement
કેન્દ્ર સરકારે અત્યારથી જ ઉપગ્રહ આધારિત અનુમાન લગાવીને નેચરલ ડિઝાસ્ટર ઉપરાંત પેરા મિલિટરી અને મિલિટરી ફોર્સને સક્રિય કરી દીધો છે.
હાલમાં મોચા ધીરે ધીરે આંદામાનનિકોબારની નજીક જઈ રહ્યું છે. 12 મે પછી તેની દિશા વધુ સ્પષ્ટ થશે. મોચાનો ઘેરાવો પણ વધુ હોવાથી તેની તીવ્રતા વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભારત ઉપરાંત મ્યાનમાર અને બાંગ્લાદેશ પણ મોચા પર નજર રાખીને બેઠાં છે. સેટેલાઈટ દ્વારા મોચાની પ્રત્યેક ક્ષણની ગતિવિધીને રેકોર્ડ કરવામાં આવી રહી છે.
Advertisement