હનુમાનગઢની હમણાં જ મિગ ક્રેશની દુર્ઘટનામાં થયેલા ત્રણ જણાના મોત બાદ મિગ વિમાનની ઊડાનને હાલ પૂરતી સ્થગિત કરી નાંખવામાં આવી છે. તેનું મુખ્ય કારણ છે કે વારંવાર ખામીઓ સર્જાય છે અને મિગ વિમાનને 2025 સુધીમાં નિવૃત્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે ધીમે ધીમે આ વિમાનોને ઘટાડવામાં આવી રહ્યા છે.
Advertisement
Advertisement
હાલ પૂરતી વિમાનની ઊડાનોને બંધ રાખવામાં આવી છે. એરફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મિગ-21ની દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ નહીં થાય અને જ્યાં સુધી સાચી ખામીનો નિષ્કર્ષ ના આવે ત્યાં સુધી મિગની ઊડાનો સ્થગિત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ભારત પાસે 50 મિગ વિમાન છે.
Advertisement