ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના તાજેતરના નિવેદનથી બંને દેશોના સંબંધો પર નકારાત્મક અસર પડી રહી છે. ભારતે મોટો નિર્ણય લઈને કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. દરમિયાન, વિદેશ મંત્રાલયે ભારત – કેનેડા વિવાદ અંગે ગુરુવારે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ મામલામાં અમુક અંશે પૂર્વગ્રહ છે. અમને લાગે છે કે આક્ષેપો મુખ્યત્વે રાજકીય રીતે પ્રેરિત છે.
Advertisement
Advertisement
કેનેડામાં આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેનેડામાં આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપવામાં આવી રહ્યો છે, અમે ઈચ્છીએ છીએ કે કેનેડાની સરકાર આવું ન કરે અને આતંકવાદના આરોપોનો સામનો કરનારાઓ સામે પગલાં લે અથવા તેમને અહીં મોકલે. તેમણે કહ્યું કે અમે ખાલિસ્તાન સાથે સંકળાયેલા પુરાવા કેનેડાને અનેક વખત આપ્યા છે, પરંતુ કોઈપણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી.
આક્ષેપો રાજનીતિથી પ્રેરિતઃ બાગચી
બાગચીએ એમ પણ કહ્યું કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. આ બધાથી વિપરીત ભારતે કેનેડાને ઘણાં લેખિત દસ્તાવેજો જમા કરાવ્યા છે. આમ છતાં ત્યાં આશરો લઈ રહેલા ખાલિસ્તાનીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ટ્રુડોનું નિવેદન રાજકીય રીતે પ્રેરિત છે.
#WATCH हां, मुझे लगता है कि कुछ हद तक पूर्वाग्रह है। उन्होंने(कनाडा सरकार) आरोप लगाए हैं और उन पर कार्रवाई की है। हमें ऐसा लगता है कि कनाडा सरकार के ये आरोप मुख्य रूप से राजनीति से प्रेरित हैं: MEA प्रवक्ता अरिंदम बागची pic.twitter.com/VSfEGDqBMI
— ANI_HindiNews (@AHindinews) September 21, 2023
કેનેડામાં ભારતીય વિઝા સેવાઓ સ્થગિત
અગાઉ, કેનેડામાં ભારતીય વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. હવે કેનેડિયન નાગરિકો વિઝા સેવાનો લાભ લઈ શકશે નહીં, એટલે કે તેઓ ભારત આવી શકશે નહીં. આ અંગે અરિંદમ બાગચીએ કહ્યું કે આગામી આદેશ સુધી વિઝા સેવાઓ સ્થગિત રહેશે. કેનેડિયન નાગરિકો હાલ ભારત આવી શકશે નહીં.
ભારતીયોને મુશ્કેલીમાં કોન્સ્યુલેટનો સંપર્ક કરવા અનુરોધ
કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અંગે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “અમે સાવચેતી રાખવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. અમારું કોન્સ્યુલેટ ત્યાં કામ કરી રહ્યું છે. અમે કહ્યું છે કે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે, તો તેઓએ આપણા કોન્સ્યુલેટનો સંપર્ક કરવો જોઈએ. આપણી વિઝા નીતિથી તેમને કોઈ ફરક પડવો જોઈએ નહીં કારણ કે તેઓ ભારતના નાગરિક છે.”
વધુ કેનેડિયન રાજદ્વારીઓ પરત જશે
ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ પર બાગચીએ વધુમાં કહ્યું કે કેનેડાના વધુ રાજદ્વારીઓ આપણા દેશમાં છે. આ બાબતમાં આપણી સંખ્યા ઘણી ઓછી છે. આગામી દિવસોમાં દૂતાવાસના સ્ટાફમાં વધુ ઘટાડો થશે. તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણયથી આપણા નાગરિકો પર કોઈ અસર નહીં થાય. મોટી સંખ્યામાં કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાં છે. આવી સ્થિતિમાં, વધુ કેનેડિયન રાજદ્વારીઓ પાછા જશે, જેથી આ સંખ્યા બરાબર થશે.
Advertisement